Best Bakery Case: બેસ્ટ બેકરી કેસમાં આજે આવી શકે છે ચુકાદો, ગુજરાત રમખાણો સાથે જોડાયેલો છે મામલો
Best Bakery Case: 2002ના ગુજરાત રમખાણો સંબંધિત બેસ્ટ બેકરી કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આ મામલે આજે એટલે કે મંગળવારે 13 જૂને મુંબઈની સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. આ કેસમાં 21 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. પરંતુ, ગુજરાત કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 માર્ચ, 2002ની રાતે ગુજરાતના વડોદરા શહેરમાં આવેલી બેસ્ટ બેકરીમાં પહેલા તોફાનીઓએ લૂંટ ચલાવી અને પછી આગ ચાંપી દીધી. આ આગમાં બેકરીની અંદર રહેલા લગભગ 14 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં પોલીસે પ્રત્યક્ષદર્શીઓની ફરિયાદના આધારે FIR નોંધી હતી.

આ કેસમાં 21 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. અગાઉ આ કેસ ગુજરાતમાં માત્ર વડોદરાની કોર્ટમાં ચાલતો હતો. બાદમાં ગુજરાત હાઈકોર્ટ પણ ગઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ રહી છે.
અહેવાલો અનુસાર, ટ્રાયલ પછી 24 ફેબ્રુઆરી, 2006ના રોજ, બેસ્ટ બેકરી કેસમાં 9 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 8ને નિર્દોષ જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ કેસમાં તમામ 9 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
આ કેસમાં વર્ષ 2013માં 4 ફરાર આરોપી ઝડપાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેનો કેસ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચારમાંથી બે આરોપીઓ સુનાવણી દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
આ કેસના બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલ જેલમાં છે અને મુંબઈની સ્પેશિયલ કોર્ટ આજે આ બંને પર ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
