For Daily Alerts
ગોળીબાર કેસ: જેઠા ભરવાડને મળ્યા જામીન, પંચમહાલમાં પ્રવેશ પર પ્રતિબંધ
ગત વર્ષે 17 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન ગોળીબાર થયો હતો જેમાં 4 લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં જેઠાભાઇને પણ માથામાં ઇજા થઇ હતી અને તેમણે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા બાદ તેઓ ભાગી છુટ્યા હતા અને ગોધરાની સેશન્સ જજે તેમના જામીન અરજી ફગાવી કાઢ્યા બાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા.
દરમિયાન પોલીસે તેમની અને બોડીગાર્ડ તથા અન્ય પાંચ જણ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો. જેઠા ભરવાડે પોતાના બોડીગાર્ડના હથિયારથી મતદાન કેન્દ્ર પર હાજર લોકો પર ગોળી ચલાવી હતી. જેઠા ભરવાડ પંચમહાલ જિલ્લાના શહેરાથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમને ચુંટણી જીતી હતી.
gujarat high court jetha bharwad bjp firing panchmahal gujarat ગુજરાત હાઇકોર્ટ જેઠા ભરવાડ ભાજપ ફાયરિંગ પંચમહાલ ગુજરાત
English summary
The Gujarat High Court granted bail to BJP MLA Jetha Bharwad, charged with attempt to murder, for his alleged involvement in a firing incident during polling in the 2012 State Assembly elections.
Story first published: Tuesday, February 5, 2013, 9:58 [IST]