ગુજરાતઃ નડિયાદમાં પુનરેશ્વર એપાર્ટમેન્ટ ધરાશાયી, 4ના મોત, 6 દબાયા હોવાની આશંકા
નડિયાદના પ્રગતિનગરમાં પુનેશ્વર એપાર્ટમેન્ટ નામના 3 માળના ફ્લેટ શુક્રવારે રાતે ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે.
નડિયાદના પ્રગતિનગરમાં પુનેશ્વર એપાર્ટમેન્ટ નામના 3 માળના ફ્લેટ શુક્રવારે રાતે ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બીજા 6 જણ કાટમાળમાં દબાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 જણને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ સાથે અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

ઘટનાની વિગત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 26 ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત થઈ ગયા છે. વળી, કાટમાળમાં દબાયેલાઓને બહાર કાઢવા માટે નડિયાદ તેમજ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ અને નડિયાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં દટાયેલા પૈકી 2 લોકોને બચાવી લેવાયા હતા તેમજ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
#UPDATE Gujarat: 4 dead after a 3-storey apartment building in Pragatinagar, Nadiad collapsed, late last night. Rescue operations underway. More details awaited. pic.twitter.com/yhZyw8PfJm
— ANI (@ANI) 10 August 2019
મળતી માહિતી મુજબ આ બ્લોક સિત્તેરના દશકમાં બનાવવામાં આવ્યો હતો. 3 માળની બિલ્ડિંગ છે જેમાં દરેકમાં 12 મકાન હતા. મકાનની સ્થિતિને જોતા અગાઉ નોટિસ આપી મકાનો ખાલી કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યુ છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
