ગુજરાતઃ નડિયાદમાં પુનરેશ્વર એપાર્ટમેન્ટ ધરાશાયી, 4ના મોત, 6 દબાયા હોવાની આશંકા
નડિયાદના પ્રગતિનગરમાં પુનેશ્વર એપાર્ટમેન્ટ નામના 3 માળના ફ્લેટ શુક્રવારે રાતે ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે.
નડિયાદના પ્રગતિનગરમાં પુનેશ્વર એપાર્ટમેન્ટ નામના 3 માળના ફ્લેટ શુક્રવારે રાતે ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બીજા 6 જણ કાટમાળમાં દબાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 જણને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ સાથે અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

ઘટનાની વિગત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 26 ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત થઈ ગયા છે. વળી, કાટમાળમાં દબાયેલાઓને બહાર કાઢવા માટે નડિયાદ તેમજ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ અને નડિયાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં દટાયેલા પૈકી 2 લોકોને બચાવી લેવાયા હતા તેમજ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
#UPDATE Gujarat: 4 dead after a 3-storey apartment building in Pragatinagar, Nadiad collapsed, late last night. Rescue operations underway. More details awaited. pic.twitter.com/yhZyw8PfJm
— ANI (@ANI) 10 August 2019
મળતી માહિતી મુજબ આ બ્લોક સિત્તેરના દશકમાં બનાવવામાં આવ્યો હતો. 3 માળની બિલ્ડિંગ છે જેમાં દરેકમાં 12 મકાન હતા. મકાનની સ્થિતિને જોતા અગાઉ નોટિસ આપી મકાનો ખાલી કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યુ છે.
-
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી











Click it and Unblock the Notifications
