For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ નડિયાદમાં પુનરેશ્વર એપાર્ટમેન્ટ ધરાશાયી, 4ના મોત, 6 દબાયા હોવાની આશંકા

નડિયાદના પ્રગતિનગરમાં પુનેશ્વર એપાર્ટમેન્ટ નામના 3 માળના ફ્લેટ શુક્રવારે રાતે ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

નડિયાદના પ્રગતિનગરમાં પુનેશ્વર એપાર્ટમેન્ટ નામના 3 માળના ફ્લેટ શુક્રવારે રાતે ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બીજા 6 જણ કાટમાળમાં દબાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 જણને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ સાથે અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

nadiad building

ઘટનાની વિગત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 26 ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત થઈ ગયા છે. વળી, કાટમાળમાં દબાયેલાઓને બહાર કાઢવા માટે નડિયાદ તેમજ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ અને નડિયાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં દટાયેલા પૈકી 2 લોકોને બચાવી લેવાયા હતા તેમજ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ બ્લોક સિત્તેરના દશકમાં બનાવવામાં આવ્યો હતો. 3 માળની બિલ્ડિંગ છે જેમાં દરેકમાં 12 મકાન હતા. મકાનની સ્થિતિને જોતા અગાઉ નોટિસ આપી મકાનો ખાલી કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યુ છે.

આ પણ વાંચોઃ અરુણ જેટલીની તબિયત લથડતાં AIIMSમાં દાખલ કરાયા, મોદી મળવા પહોંચ્યાઆ પણ વાંચોઃ અરુણ જેટલીની તબિયત લથડતાં AIIMSમાં દાખલ કરાયા, મોદી મળવા પહોંચ્યા

English summary
ગુજરાતઃ નડિયાદમાં પુનરેશ્વર એપાર્ટમેન્ટ ધરાશાયી, 4ના મોત, 6 દબાયા હોવાની આશંકા Gujarat, gujarat: Building collapsed in nadiad, 4 dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X