ગુજરાતમાં પેટાચૂંટણીનો પ્રચાર આજે સાંજથી બંધ, મતદાન દિવસ પર નજર
અમદાવાદ, 11 સપ્ટેમ્બર : આજે ગુજરાત વિધાનસભાની 9 બેઠકો અને વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી માટે સાંજે પાંચ વાગે પ્રચાર બંધ થશે. છેલ્લો દિવસ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં વ્યાપક પ્રચારનું આયોજન કરીને મતદારોને પોતાની તરફેણમાં રીઝવવાનો છેલ્લો પ્રયત્ન કરી રહ્યા છે. નોંધનીય છે કે 13 સપ્ટેમ્બરે મતદાન યોજાયા બાદ 16 સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા આનંદીબહેન પટેલ પેટા ચૂંટણીઓ માટેના પ્રચારની પોતાની છેલ્લી સભા માંગરોળ ખાતે સંબોધવાના છે. ભાજપ દ્વારા વડોદરા લોકસભા વિસ્તારમાં પૂર અને અતિવૃષ્ટિથી પીડિતોને રાહત માટે કાર્યકરોનું જનઅભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે ભારે વરસાદને પગલે વડોદરામાં આનંદીબેનની જાહેરસભા રદ કરવી પડી હતી.

બીજી તરફ કોંગ્રેસે પણ માંગરોળ વિધાનસભામાં આવતાં માળિયા ખાતે શંકરસિંહ વાઘેલાની જાહેરસભાનું આયોજન કર્યું છે. કોગ્રેસે દ્વારા વ્યાપક પ્રચાર કરવા માટે રેલીનું આયોજન કર્યું છે. વડોદરા શહેરમાં પાંચ અને ગ્રામ્ય વિસ્તારમાં બે થઇને કુલ સાત રેલીઓ યોજવામાં આવી હતી. જ્યારે અમદાવાદના મણિનગરમાં ત્રણ રેલી હાટકેશ્વર- ખોખરા, ઘોડાસર- ઈસનપુર તથા લાંભામાં રાણીપુર ગામની રેલી યોજવાનું આયોજન છે.
ખંભાળિયા ખાતે કોંગ્રેસની મહિલા પાંખ, NSUI તથા યુવક કોંગ્રેસ અલગ અલગ રેલી યોજશે. આ રેલી છેલ્લે કોંગ્રેસ કાર્યાલય ખાતે સભામાં ફેરવાઈ જશે. કોંગ્રેસે આણંદ ખાતે બપોરે 2 વાગે યુવા સંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનને ભરતસિંહ સોલંકી છેલ્લા દિવસનું માર્ગદર્શન આપશે.
કોંગ્રેસે લીમખેડા બેઠક માટે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ કાર્યકરોની બેઠકનું આયોજન કર્યું છે અને તેમાં છેલ્લા દિવસની તૈયારીઓ અને સાવચેતી અંગે માર્ગદર્શન આપશે.
આ પેટાચૂંટણીમાં કઇ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે કયા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે તેના પર એક નજર કરીએ...
લોકસભા બેઠક - ભાજપ - કોંગ્રેસ
20 - વડોદરા - રંજનબેન ભટ્ટ - નરેન્દ્રભાઇ રાવત
વિધાનસભા બેઠક - ભાજપ - કોંગ્રેસ
13 - ડીસા - લેબજીજી ઠાકોર - ગોવાભાઇ રબારી
53 - મણિનગર - સુરેશ પટેલ - જતીન કેલ્લા
66 - ટંકારા - ભવાનજી પટેલ - લલિત કગથરા
81 - ખંભાળિયા - મૂલૂ બેરા - મેરામણભાઇ આહિર
89 - માંગરોળ - લક્ષમણ જાદવ - બાબુભાઇ વાજા
100 - તળાજા - શિવાભાઇ ગોહિલ - પ્રવીણભાઇ વાળા
112 - આણંદ - રોહિતભાઇ પટેલ - કાંતિભાઇ સોઢાપરમાર
115 - માતર - કેસરીસિંહ સોલંકી - કાળીદાસ પરમાર
131 - લીમખેડા(ST) - વીંછીયા જોખાભાઇ - ભૂરિયા છત્રસિંહ મેડા
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
