Gujarat by-election 2025 : ગુજરાતમાં કોંગ્રેસ-AAP સાથે ચૂંટણી નહીં લડે, જાણો કારણ
Gujarat by-election 2025 : ગુજરાતમાં આગામી પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરીને પેટાચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રાજકીય વ્યૂહરચના અને સ્થાનિક પરિસ્થિતિઓને માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે, ગુજરાતની જનતા સાથે સીધો સંપર્ક સ્થાપીને અને પોતાના મુદ્દાઓને આગળ રાખીને ચૂંટણી લડવી વધુ ફાયદાકારક રહેશે.
આ ઉપરાંત AAP સાથે ગઠબંધનથી ચૂંટણીમાં મતોનું વિભાજન થવાની શક્યતા પણ નકારી શકાતી નથી, જેનાથી બંને પક્ષોને નુકસાન થઈ શકે છે.
આ નિર્ણય બાદ ગુજરાતની પેટાચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કોંગ્રેસ હવે પોતાના ઉમેદવારોને મજબૂત રીતે ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સ્વતંત્ર રીતે પોતાની તૈયારીઓમાં જોડાઈ ગઈ છે.
આ બાય-ઇલેક્શન ગુજરાતના રાજકારણમાં નવો રંગ લાવશે તે નિશ્ચિત છે. રાજ્યની જનતા હવે આ ચૂંટણીમાં કયો પક્ષ કેવી રીતે પ્રદર્શન કરે છે તેની રાહ જોઈ રહી છે.
જણાવી દઈએ કે, ગઠબંધન ન થવાને કારણે આમ આદમી પાર્ટી દિલ્હી જેવુ રાજ્ય પહેલા જ ગુમાવી ચુકી છે. હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી વિસાવદર જેવી સીટ ગુમાવી શકે છે. જોવાનુું એ રહે છે કે કોંગ્રેસ ઉમેદવાર કોને બનાવે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગુજરાતમાં હજુ પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી. ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી ફુલ ફોર્મ સામે મેદાને ઉતરી ચુકી છે અને કોંગ્રેસે પણ સભા શરૂ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
