gujarat cabinet expansion : ગુજરાતમાં સરકારના મંત્રીઓના પત્તા કરાશે, આ ધારાસભ્યોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્
gujarat cabinet expansion : ગુજરાતમાં રાજકીય વર્તુળોમાં હાલ મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ અંગે તીવ્ર ચર્ચાઓ છે. સુત્રો અનુસાર, એપ્રિલ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ થવાની સંભાવના છે.
હાલ રાજ્યમાં 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓ મળીને કુલ 17 મંત્રીઓ છે, જ્યારે મંત્રીમંડળની મહત્તમ ક્ષમતા 27 મંત્રીઓ સુધી લઈ જવાઈ શકે છે.

જાણકારો અનુસાર, હાલની સરકારની કામગીરીને લઈને દિલ્હીના ભાજપ હાઈકમાન્ડમાં અસંતોષ જોવા મળ્યો છે. મંત્રીઓના કામકાજ અંગે અનેક ફરિયાદો પહોંચી રહી છે, જેમાં તેમની વહીવટી ક્ષમતા, અધિકારીઓ સાથેનો અણબનાવ અને શાસનને અસર પહોંચે તેવી કામગીરીનો સમાવેશ થાય છે.
જનતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેવું, અમલીકરણમાં ખામીઓ અને પ્રચારમાં નિષ્ફળતા જેવી બાબતોને કારણે સરકારની છબી ધૂંધળી થઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી 2027માં યોજાવાની છે. હાલની સ્થિતિમાં ભાજપ પાસે 161 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 12 ધારાસભ્યો સાથે છે. કોંગ્રેસ પક્ષ ભાજપ માટે મોટો પડકાર ઊભો કરી શકે તેવી શક્યતાઓ હાલની રાજકીય ગતિવિધિઓમાં જોવા મળતી નથી.
તેમ છતાં ભાજપ હાઈકમાન્ડ કોઈ જોખમ લેવા માંગતું નથી અને આગામી ચૂંટણી પૂર્વે સરકારની છબી સુધારવા માટે મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરી શકે છે.
સૂત્રો અનુસાર, મંત્રીમંડળના વિસ્તરણમાં 8થી વધુ મંત્રીઓને બદલવામાં આવી શકે છે, જેમાં ત્રણથી વધુ કેબિનેટ મંત્રીઓ પણ સામેલ હોઈ શકે છે. નબળા મંત્રીઓની જગ્યાએ યુવાન, ભણેલા-ગણેલા અને સારી છબી ધરાવતા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.
ગુજરાતના રાજકીય માહોલમાં આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. ખાસ કરીને રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા વધુ તેજીથી આગળ વધે તેવી શકયતા છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
