ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણની અટકળો તેજ, જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન
Gujarat News: ગુજરાત રાજ્યના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અગાઉ નવરાત્રિ અને હવે દિવાળી બાદ આ ફેરફાર થવાની અટકળો ચાલી રહી હતી. જોકે, આ સતત ચાલતી ચર્ચાઓ પર આજે CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં સ્પષ્ટતા કરી દીધી છે.

CMએ મંત્રીઓ સામે શું કહ્યું?
આજે મળેલી કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યો સામે સ્પષ્ટતા કરવી પડી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, CMએ મંત્રીઓ તરફ જોઈને કહ્યું હતું કે, "હાલ કંઈ થવાનું નથી, ચિંતા ના કરશો. બધા પોતપોતાના કામે લાગી જાઓ." આ સ્પષ્ટતા દ્વારા તેમણે વિસ્તરણની ચર્ચા પર હાલ પૂરતું વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
સામાન્ય રીતે, વિધાનસભા ચૂંટણીના એક વર્ષ અગાઉ મંત્રીમંડળ અને પક્ષના સંગઠનમાં મોટા ફેરફારો થતા હોય છે, પરંતુ CMની સ્પષ્ટતા બાદ હાલ તાત્કાલિક કોઈ પગલું લેવાશે નહીં તેવું સ્પષ્ટ થયું છે.
કેબિનેટમાં 10 જગ્યાઓ ખાલી, છતાં વિસ્તરણ કેમ અટક્યું?
જગ્યાની સ્થિતિ: રાજ્યના મંત્રીમંડળમાં બંધારણીય નિયમ મુજબ CM સહિત કુલ 27 સભ્યોનો સમાવેશ કરી શકાય છે. જેની સામે હાલમાં CM સહિત માત્ર 17 સભ્યોને સ્થાન અપાયું છે. આ રીતે, કેબિનેટમાં હજુ પણ 10 મંત્રી પદની જગ્યાઓ ખાલી છે.
નવી જવાબદારી: રાજ્યમાં જગદીશ વિશ્વકર્માને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ હોવાથી, તેઓ હવે મંત્રી તરીકેનું સ્થાન નહીં જાળવી શકે તેવી શક્યતા છે.
જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન?
જોકે CMએ હાલ પૂરતી ચર્ચાને શાંત કરી છે, તેમ છતાં રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે પણ વિસ્તરણ થશે, ત્યારે મુખ્યત્વે પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણો જાળવવા પર ભાર મૂકવામાં આવશે:
સૌરાષ્ટ્રને પ્રાધાન્ય: સૌરાષ્ટ્ર પ્રદેશને વધુ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે, જેમાં ખાસ કરીને પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ પર ભાર મુકાશે.
અન્ય પ્રદેશો: આ ઉપરાંત, કચ્છ અને મધ્ય ગુજરાતમાંથી પણ કેટલાક નવા સભ્યોને પ્રતિનિધિત્વ મળી શકે છે.
ફેરફાર: વર્તમાન સરકારમાં વિવાદમાં રહેલા મંત્રીઓમાંથી બચુભાઈ ખાબડ અને ભીખુસિંહ પરમારને પડતા મુકવામાં આવી શકે છે. અન્ય મંત્રીઓને તેમના વિસ્તાર, જાતિ અને કામગીરીના આધારે જાળવી રખાશે.
CMની આજની સ્પષ્ટતાથી હાલ પૂરતું મંત્રી બનવાની આશા રાખતા ધારાસભ્યોને રાહ જોવી પડશે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
