ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણની અટકળો તેજ, જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન
Gujarat News: ગુજરાત રાજ્યના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અગાઉ નવરાત્રિ અને હવે દિવાળી બાદ આ ફેરફાર થવાની અટકળો ચાલી રહી હતી. જોકે, આ સતત ચાલતી ચર્ચાઓ પર આજે CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં સ્પષ્ટતા કરી દીધી છે.

CMએ મંત્રીઓ સામે શું કહ્યું?
આજે મળેલી કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યો સામે સ્પષ્ટતા કરવી પડી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, CMએ મંત્રીઓ તરફ જોઈને કહ્યું હતું કે, "હાલ કંઈ થવાનું નથી, ચિંતા ના કરશો. બધા પોતપોતાના કામે લાગી જાઓ." આ સ્પષ્ટતા દ્વારા તેમણે વિસ્તરણની ચર્ચા પર હાલ પૂરતું વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
સામાન્ય રીતે, વિધાનસભા ચૂંટણીના એક વર્ષ અગાઉ મંત્રીમંડળ અને પક્ષના સંગઠનમાં મોટા ફેરફારો થતા હોય છે, પરંતુ CMની સ્પષ્ટતા બાદ હાલ તાત્કાલિક કોઈ પગલું લેવાશે નહીં તેવું સ્પષ્ટ થયું છે.
કેબિનેટમાં 10 જગ્યાઓ ખાલી, છતાં વિસ્તરણ કેમ અટક્યું?
જગ્યાની સ્થિતિ: રાજ્યના મંત્રીમંડળમાં બંધારણીય નિયમ મુજબ CM સહિત કુલ 27 સભ્યોનો સમાવેશ કરી શકાય છે. જેની સામે હાલમાં CM સહિત માત્ર 17 સભ્યોને સ્થાન અપાયું છે. આ રીતે, કેબિનેટમાં હજુ પણ 10 મંત્રી પદની જગ્યાઓ ખાલી છે.
નવી જવાબદારી: રાજ્યમાં જગદીશ વિશ્વકર્માને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ હોવાથી, તેઓ હવે મંત્રી તરીકેનું સ્થાન નહીં જાળવી શકે તેવી શક્યતા છે.
જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન?
જોકે CMએ હાલ પૂરતી ચર્ચાને શાંત કરી છે, તેમ છતાં રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે પણ વિસ્તરણ થશે, ત્યારે મુખ્યત્વે પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણો જાળવવા પર ભાર મૂકવામાં આવશે:
સૌરાષ્ટ્રને પ્રાધાન્ય: સૌરાષ્ટ્ર પ્રદેશને વધુ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે, જેમાં ખાસ કરીને પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ પર ભાર મુકાશે.
અન્ય પ્રદેશો: આ ઉપરાંત, કચ્છ અને મધ્ય ગુજરાતમાંથી પણ કેટલાક નવા સભ્યોને પ્રતિનિધિત્વ મળી શકે છે.
ફેરફાર: વર્તમાન સરકારમાં વિવાદમાં રહેલા મંત્રીઓમાંથી બચુભાઈ ખાબડ અને ભીખુસિંહ પરમારને પડતા મુકવામાં આવી શકે છે. અન્ય મંત્રીઓને તેમના વિસ્તાર, જાતિ અને કામગીરીના આધારે જાળવી રખાશે.
CMની આજની સ્પષ્ટતાથી હાલ પૂરતું મંત્રી બનવાની આશા રાખતા ધારાસભ્યોને રાહ જોવી પડશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
