મોદીના સહીવાળું મેક ઇન ઈન્ડિયાનું નકલી પ્રમાણપત્ર બતાવી કરોડોનો ચૂનો લગાવ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહી કરેલા 'મેક ઈન ઈન્ડિયા'નું બનાવટી પ્રમાણપત્ર બતાવીને ગુજરાતમાં કંપનીના ડાયરેક્ટરો કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા પકડાયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહી કરેલા 'મેક ઈન ઈન્ડિયા'નું બનાવટી પ્રમાણપત્ર બતાવીને ગુજરાતમાં કંપનીના ડાયરેક્ટરો કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા પકડાયા છે. અહીં એક કંપનીએ છેતરપિંડીનો ધંધો શરૂ કર્યો, પીડિતોને જ્યારે છેતરપિંડીની અનુભૂતિ થઇ ત્યારે તેમનો પર્દાફાશ થયો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માહિતી મુજબ વડોદરાના જેપી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર એલએલપી અને તેમના ડાયરેક્ટર્સ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

નિવેશકો પાસેથી 3.47 કરોડ રૂપિયા પડાવી લીધા
પોલીસના જણાવ્યા મુજબ, રોકાણકારો પાસેથી 3.47 કરોડ રૂપિયા પડાવવાની ફરિયાદ મળી હતી. એવું કહેવામાં આવે છે કે શહેરના એક જ પરિવારના આઠ સભ્યોએ આ કંપનીમાં રોકાણ કર્યું હતું. કંપનીના ડાયરેક્ટરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે બનાવટી સર્ટિફિકેટ બતાવ્યું હતું અને રોકાણ લીધું હતું. વડોદરાના ફરિયાદી, 53 વર્ષીય કમલેશ મનુભાઇ પટેલ (એ-3 પેરિસ નગર, રેસકોર્સ) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે રાવપુરા કોળી રોડ નજીક સત્સંગ એપાર્ટમેન્ટમાં એક કાર્યાલયનો માલિક છે અને જમીનનો ધંધો કરે છે. 2016 માં, કમલેશ પટેલનો મિત્ર, રિતેશ સોઢા (રાજસ્થાન સોસાયટી, પોલો મેદાન) મારફત ચાણક્ય નગર સીએમ પટેલ ફાર્મમાં જેવી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં ગયો હતો. ત્યાં તેનો પરિચય કંપનીના ડાયરેક્ટરો વીરેન્દ્ર પરસોત્તમ વિસાવડિયા, દિવ્યકાંત પરસોત્તમ વિસાવડિયા અને પરસોત્તમ વિસાવડિયા સાથે થયો.

મોદીના નામ પર વિશ્વાસ કર્યો
કંપનીના ડિરેક્ટરોએ કહ્યું હતું કે, અમે શેરબજારમાં કામ કરીએ છીએ અને રોકાણ પર આકર્ષક વળતર આપીએ છીએ. કમલેશ પટેલનો વિશ્વાસ મેળવવા માટે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સહી સાથે મેક ઈન ઈન્ડિયા પ્રમાણપત્ર બતાવ્યું હતું. કમલેશ પટેલ મોદીના હસ્તાક્ષરવાળા પ્રમાણપત્ર સાથે રોકાણ કરવા માટે ઉત્સુક બન્યા.

પછી થયો છેતરપિંડીની અનુભૂતિ
કમલેશ પટેલે તેના પરિવારના સભ્યો, અન્ય સ્નેહી મિત્રો અને મિત્રોનાં નામે 3.47 કરોડનું રોકાણ કર્યું હતું. આ રોકાણ બાદ ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2017 સુધી ડિરેક્ટરોએ કમલેશ પટેલને નિયમિત વળતર આપ્યું હતું અને ત્યારબાદ ચુકવણી કરવાનું બંધ કરી દીધું હતું. છ મહિના સુધી વળતર ન મળ્યા બાદ કમલેશ પટેલને કંપનીના ડિરેક્ટર સામે શંકા થઇ, તેમને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

પોલીસે તપાસ શરૂ કરી છે
કમલેશ પટેલ પૈસા લેવા માટે કંપનીની ઓફિસમાં જતા હતા, પરંતુ ડિરેક્ટર વચન આપીને તેમને ભગાવી રહ્યા હતા. કમલેશ પટેલને રોકાણ સામે વળતર મળ્યું ન હતું. જ્યારે કંપનીના ડાયરેક્ટરોએ વળતર આપવાનું બંધ કર્યું ત્યારે કમલેશ પટેલે વડોદરાના માંજલપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કંપનીના ડિરેક્ટર સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરવા તપાસ શરૂ કરી.
આ પણ વાંચો: કરોડો રૂપિયા લઈને ઓસ્ટ્રેલિયા ભાગી ગયો ગુજરાતનો બિલ્ડર












Click it and Unblock the Notifications
