લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું
Gujarat Congress: આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારી વિવિધ પક્ષો અત્યારથી જ કરી રહી છે. આવામાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપ દ્વારા ઓપરેશન લોટસ શરૂ દેવામાં આવ્યું હોવાનો આરોપ કોંગ્રેસ સતત લગાવી રહી છે.
આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીતી હતી. જેમાંથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. જે બાદ હવે ખંભાત બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. આજે સવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે.

સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી હજૂ પણ ઘણા ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે.
કોંગ્રેસના 17 વિધાનસભ્યોમાંથી હવે માત્ર 16 જ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખંભાત બેઠક પર 1990 પછી પહેલી વાર કોંગ્રેસની જીત થઇ
હતી.
ચિરાગ પટેલની 3711 મતથી જીત - ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ
આપવામાં આવી હતી અને તેમની જીત થઈ હતી. આ ચૂંટણી ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા. આ સાથ ભાજપના ઉમેદવાર મહેશ
રાવલને 65,358 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની 3711 મતથી હાર થઇ હતી.
કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું
હતું કે, કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે બચ્યું જ નથી. અસ્થિર નેતૃત્વને કારણે કોંગ્રેસ ખોવાઇ રહી છે. કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો પણ હવે
ગુંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહી, માત્ર રાજનીતિ ચાલી રહી છે. ભાજપ કોઈપણ નેતાને આમંત્રણ આપતું નથી. કોંગ્રેસના નેતાઓ
પોતાની ગરજે ભાજપમાં જોડાય છે. હવે તો PM મોદીને કોંગ્રેસના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં
તમામ 26 ભાજપ જીતશે, અને કોંગ્રેસના સુપડાસાફ થઇ જશે.
-
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી












Click it and Unblock the Notifications
