કોંગ્રસમાં ઘીના ઠામમાં ઘી, રાજેન્દ્ર પટેલ રાજીનામું નહીં આપે
ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય આખરે પરત ખેંચી લીધો છે.
આજે ડો. કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું સોંપવા વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીના કાર્યાલયની મુલાકાત લીધી, જ્યાં ચૌધરી ગેરહાજર હતા. કોંગ્રેસ કાર્યાલયમાંથી તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ફોન પર વાતચીત કરી હતી.

તેમણે પોતાના મતવિસ્તાર સંબંધિત પ્રદેશ બોડીના નિર્ણયને રદ કરવા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવા માંગ કરી હતી. આ વાટાઘાટો બાદ જ તેઓ રાજીનામું ન આપવા સંમત થયા હતા.
ડો. કિરીટ પટેલે મીડિયાને જણાવ્યું કે, મને આશ્વાસન મળ્યું છે કે અમારી માંગણીઓ પર નિર્ણય લેવાઈ ગયો છે. આગામી દિવસોમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. તેમણે ઉમેર્યું કે, હાલ પૂરતું દંડક પદેથી રાજીનામું મોકૂફ રાખ્યું છે. 2017 અને 2022માં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓના નામો પણ મેં આપ્યા છે.
આ વિવાદનું મૂળ પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચામાં ચાલતા હોદ્દા સંબંધિત આંતરિક સંઘર્ષમાં છે. વિવાદ ત્યારે સપાટી પર આવ્યો, જ્યારે ગઈકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા તાળાબંધી કરાઈ હતી. આ પ્રદર્શન પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે હતું.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
