ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 51 હજારને પાર, 12016 લોકોનો ચાલી રહ્યો છે ઈલાજ
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 51 હજારને પાર જતો રહ્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 51 હજારને પાર જતો રહ્યો છે. સતત બીજા દિવસે અહીં 1 હજારથી વધુ નવા દર્દી મળ્યા છે. કુલ સંક્રમિત 51485 થઈ ગયા છે જેમાંથી 12016નો હજુ પણ ઈલાજ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 37240 લોકોનો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત 2229ના મોત થઈ ચૂક્યા છે.
24 કલાકમાં 181 નવા દર્દી
837 દર્દી ડિસ્ચાર્જ થયેલા રાજ્યના આરોગ્ય વિભાગમાંથી મળેલી માહિતી મુજબ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 181 નવા દર્દી મળ્યા. જ્યારે ત્રણ કોરોના દર્દીઓએ દમ તોડી દીધો. સુરતમાં ગઈ કાલે 19ના મોત થયા. વળી, આખા રાજ્યમાં 28 દર્દીઓના મોત થયા. નવા દર્દીઓની વાત કરીએ તો સુરતમાં આ સંખ્યા 263 નોંધાઈ છે. બુધવારે રાજ્યમાં કુલ 837 દર્દી રિકવર થઈને ડિસ્ચાર્જ થયા. એકલા બુધવારે 195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ક્યાં કેટલા નવા દર્દી મળ્યા
વડોદરા મનપામાં 62 રાજકોટ મનપામાં 43, ભરુચમાં 27, દાહોદમાં 27, મહેસાણામાં 24, ભાવનગર મનપામાં 22,ગિર સોમનાથમાં 21 કચ્છમાં 21, ગાંધીનગરમાં 20, જૂનાગઢ મનપામાં 20.
ક્યાં કેટલાએ દમ તોડ્યો?
સૌથી વધુ 19ના મોત સુરતમાં થયા. અમદાવાદમાં 3, બોટાદમાં 1, દાહોદમાં 1, જૂનાગઢમાં 1, મહેસાણામાં 1, વડોદરામાં 1.
સ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ