CM રૂપાણીને કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઉમેદવારી પત્ર ભરશે
રાજકોટ પશ્ચિમની બેઠક માટે વિજય રૂપાણી અને કોંગ્રેસના રાજગુરુ બન્ને સોમવારે ભરશે ઉમેદવારી પત્ર. વધુ વાંચો અહીં.
રાજકોટના બે ધૂરધરો કહેવાતા ભાજપ અને કોંગ્રેસના મજબૂત નેતાઓ આજે બપોરે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. સીએમ વિજય રૂપાણી તેમની રાજકોટ પશ્ચિમની બેઠક પરતી બપોરે 12: 39 મિનિટે ના શુભ મુર્હુતમાં ઉમેદવારી પત્ર ભરે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. સીએમ વિજય રૂપાણીએ આજે સવારે રાજકોટ ખાતે આજી ડેમની નીરના વધામણા કર્યા હતા અને તેઓ ઉમેદવારી પત્રક ભર્યા પહેલા એક સભાને પણ સંબોધવાના છે. તેઓએ સવારે જૈન મુનિના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. રૂપાણી જ્યારે ઉમેદવારી પત્રક ભરશે ત્યારે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી પણ ઉપસ્થિત રહેવાના છે

તો બીજી તરફ રાજકોટ કોંગ્રેસના મજબૂત નેતા ગણાતા ઇન્દ્રનીલ રાજગુરુ પણ આજે પોતાના કાર્યકરો સાથે સવારે 11-30 બાદ બહુમાળી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પશ્ચિમની આ બેઠક પર લાંબા સમયથી ભાજપ એકધારી જીત મેળવતું આવ્યું છે. ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસના આ બે કદાવર નેતાઓમાંથી કોને જનતાનો સાથ મળે છે તે જોવાનું રહ્યું.












Click it and Unblock the Notifications
