For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: પંજાબના CM ભગવંત માને ગુજરાતમાં કર્યો રોડ શો, સમર્થનમાં ઉમટ્યો જનસૈલાબ

ગુજરાત વિધાનસભાની 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભાની 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે રોડ શો કર્યો હતો. માને હજારો કાર્યકરોની હાજરીમાં માંડવીના લોકોને સંબોધિત કર્યા હતા. રોડ શોની તસવીરો ખુદ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. તેમણે ટ્વીટ કર્યુ- 'આજે ગુજરાત પણ એ જ કહી રહ્યું છે...અમર રહે આમ આદમી પાર્ટી.'

CM Mann

ભગવંત માનની જેમ આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ કહ્યું કે આપણા અરવિંદ કેજરીવાલજીની ગેરંટી છે કે જ્યારે ગુજરાતમાં સરકાર બનશે ત્યારે તેઓ ગુજરાતના દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી આપશે. અરવિંદ કેજરીવાલજીની બીજી ગેરંટી એ છે કે ગુજરાતના દરેક બાળકને વિશ્વ કક્ષાની ઉત્તમ શાળા મળશે અને શિક્ષણ બિલકુલ મફતમાં મળશે.અરવિંદ કેજરીવાલજીની ત્રીજી ગેરંટી છે કે ગુજરાતના દરેક વ્યક્તિ, બાળક-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, દરેક વ્યક્તિને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે મફત સારવાર મળશે.

અરવિંદ કેજરીવાલજીની ચોથી ગેરંટી છે કે તેઓ ગુજરાતના દરેક યુવાનોને રોજગાર આપશે અને જ્યાં સુધી આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકશે નહિ ત્યાં સુધી દર મહિને રુ.3000 બેરોજગારી ભથ્થુ આપીને તેમને મદદ કરશે. અરવિંદ કેજરીવાલજીની પાંચમી ગેરંટી છે કે ગુજરાતની દરેક મહિલા જેની ઉંમર 18 વર્ષથી વધુ છે તે દરેક મહિલાને રુ.1000ની સન્માન રકમ આપવામાં આવશે.

જો વીજળી મફત થશે તો દર મહિને રુ.4000ની બચત થશે, જો શિક્ષણ મફત થશે તો દર મહિને રુ.10000ની બચત થશે, જો આરોગ્ય સેવાઓ મફત થશે, ઑપરેશન અને દવાઓ મફત થશે તો દરેક પરિવારને દર મહિને રુ.7000ની બચત થશે, જો કોઈને રોજગાર ન મળી રહ્યુ હોય અને પરિવારમાં બે બેરોજગાર યુવાનો હોય તો દર મહિને રુ.6000ની બચત થશે, જો ઘરમાં 3 મહિલા હશે તો સરકાર દ્વારા દરેક મહિલાને દર મહિને રુ.1000 આપવામાં આવશે એટલે કે મહિનાના રુ.3000 બચશે. કુલ મળીને અરવિંદ કેજરીવાલજીની સરકાર ગુજરાતના એક સામાન્ય પરિવારને દર મહિને રુ30,000નો નફો આપશે.

આ દેશમાં બે મૉડલ છે જેમાં ભાજપ દ્વારા રુ.30,000 કરોડનુ પેકેજ આપવામાં આવે છે પરંતુ તે પેકેજ માત્ર ઉદ્યોગપતિઓ, મોટા કૉન્ટ્રાક્ટરો અને મોટા ઠેકેદારોને જ આપવામાં આવે છે. જ્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલજી પાસે રુ.30,000નુ માસિક પેકેજ છે, જે ગુજરાતના દરેક પરિવારને, ગુજરાતના દરેક સામાન્ય માણસને આપવામાં આવશે. ગુજરાતના દરેક પરિવારને દર મહિને રુ30,000ની બચત થશે. હવે જનતાએ પસંદ કરવાનું છે કે જનતા અરવિંદ કેજરીવાલજીને રુ30,000 કરોડનો સીધો ફાયદો ઇચ્છે છે કે પછી ઉદ્યોગપતિઓ માટે ભાજપનુ રુ30,000 કરોડનુ પેકેજ જોઈએ.

ભાજપના લોકો કહે છે કે કેજરીવાલ રેવડી વહેંચી રહ્યા છે. કેજરીવાલ બધુ મફતમાં આપે છે, દિલ્લીમાં મફત આપ્યુ, પંજાબમાં પણ મફત આપી દીધુ. હું બીજેપીના લોકોને કહેવા માંગુ છુ કે, તમારા ગુજરાતના મુખ્યમંત્રીને 5000 યુનિટ વીજળી મફતમાં મળે છે, દરેક મંત્રીને મફત ટ્રેનની મુસાફરી મળે છે, દરેક સાંસદને મફતમાં તબીબી સારવાર મળે છે. પરંતુ જો કેજરીવાલજી ગુજરાતના દરેક પરિવારને આ સુવિધાઓ આપવા માંગતા હોય તો ભાજપને પેટમાં દુ:ખાવો કેમ થાય છે? ભારતની આઝાદી પછી જો કોઈ ઈમાનદાર નેતા હોય તો તે નેતાનુ નામ અરવિંદ કેજરીવાલ અને જો કોઈ ઈમાનદાર પાર્ટી હોય તો તે પાર્ટીનુ નામ આમ આદમી પાર્ટી છે.

આજે ગુજરાતનો દરેક વ્યક્તિ કહી રહ્યો છે કે 'કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે'. 8 ડિસેમ્બર, 2022ના રોજ, જ્યારે મતદાન પેટીઓ ખુલશે, ત્યારે ગુજરાતની 182 વિધાનસભામાંથી મહત્તમ મતોથી આ વિધાનસભા જીતીને અમારા ઉમેદવારને વિધાનસભામાં મોકલો અને શિક્ષિત, પ્રામાણિક અને પરિવર્તનશીલ લોકો સાથે અરવિંદ કેજરીવાલજીની નવી સરકાર બનાવો.

English summary
Gujarat Election: Punjab Chief Minister Bhagwant Mann road show in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X