નરેન્દ્ર મોદી મણિનગરથી ચૂંટણી લડશે, પ્રથમ યાદી જાહેર

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી ચૂંટણીમાં મણિનગર વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડશે. વર્ષ 2007ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ મણિનગરની સીટ પરથી જીત મેળવી હતી, તેમને કોંગ્રેસના દિનશા પટેલને 75,000 મતોથી હરાવ્યા હતા. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં મિટિંગ થઇ હતી.
આ બેઠક બાદ ગુજરાત વિધાનસભામાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્રારા 17 નવેમ્બરે જાહેર કરવામાં જાહેરનામા બાદ રાજ્યમાં નામાંકન શરૂ થઇ ગયું છે.કેન્દ્રીય ચૂંટણે સમિતિની બેઠકમાં નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય સમિતિના બધા અધિકારીઓની બેઠકમાં ઉમેદવારોના પર મોહર લગાવવામાં આવી છે.
કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીએ 13 ઉમેદવારોના ચહેરા બદલ્યા છે. કેશુભાઇ પટેલની સક્રિયતાના કારણે પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્રની સીટો નરેન્દ્ર મોદી માટે પડકારરૂપ ગણવામાં આવે છે. જેથી નરેન્દ્ર મોદીએ સમજી વિચારીને આ વખતે પટેલ સમુદાયના લોકો પર પસંદગી ઉતારી છે.
સૂત્રો જણાવ્યા અનુસાર આ યાદીમાં બે નામ એવા છે જેમના પર દાગ લાગેલો હોય. ભાવનગર માટે નક્કી કરવામાં આવેલા પુરૂષોત્તમભાઇ સોલંકીનું નામ મત્સ પાલન સાથે જોડાયેલા વિવાદમાં તેમનું ઉછળ્યું હતું. કહેવામાં આવે છે કે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી મિટિંગમાં નરેન્દ્ર મોદી તરફથી રજૂ કરવામાં આવેલા એકપણ નામ પર વિવાદ થયો ન હતો.












Click it and Unblock the Notifications
