પીએમ મોદીની સુરતની સભા થશે પણ આ તારીખે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 અને 7 ડિસેમ્બરના રોજ કરશે ગુજરાતમાં આ સ્થળો પર સભા. જો કે સુરતની સભાનો સમય બદલાયો છે. જાણો વધુ અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ફરી એક વાર ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. 6 ડિસેમ્બરે તેમની ધુંધુકા, દાહોદ, નેત્રંગ ખાતે 3 જનસભાઓ થવાની છે. જો કે ઓખી ચક્રવાતના કારણે સુરતમાં તેમની જે સભા કાલે થવાની હતી તે હવે 7 ડિસેમ્બરે બપોરે 1 વાગે થશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સુરતની રેલીને પાટીદારોના મુદ્દાના કારણે મહત્વની માનવામાં આવતી હતી. પણ ઓખી ચક્રવાતમાં બચાવ કાર્યમાં વ્યસ્ત સુરક્ષા દળોની જવાબદારીમાં વધારો ન કરવા માટે પીએમની સભા પોસ્ટપોન્ડ કરવામાં આવી છે તેવી જાણકારી ભાજપના ભાજપના પ્રવક્તા ભુપેન્દ્ર યાાદવે આજે પ્રેસવાર્તા કરીને આપી હતી.

નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ ચૂંટણી પહેલા ભાજપ દ્વારા જોરદાર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને આ જ કારણે પીએમ મોદી પણ વારંવાર ગુજરાત આવી રહ્યા છે. ત્યારે 6 ડિસેમ્બર, 2017 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9:30 વાગ્યે ધંધુકા, 12:00 વાગ્યે દાહોદ અને 02:00 વાગ્યે નેત્રંગ ખાતે વિકાસ જનસભાઓને સંબોધન કરશે. સાથે જ 9મી ડિસેમ્બરે પીએમ મોદી મતદાન પણ કરશે. આમ ચૂંટણી પહેલા મોદી ઠેર ઠેર વિકાસની જનસભાઓ કરીને લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી








Click it and Unblock the Notifications
