ગુજરાત સરકારે ગણોત ધારાના કાયદામાં સુધારા કરતુ બિલ વિધાનસભામાં રજુ કર્યુ
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ અને ખેતીની જમીન વટહુકમ, 1949માં મહત્વના સુધારા કરતું વિધેયક પસાર કરાયું છે. આ નવા સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ગણોત કાયદાઓને વધુ સ્પષ્ટ બનાવવાનો અને જમીન સંબંધિત પ્રક્રિયાઓને સરળ કરી ખેડૂતોનું રક્ષણ કરવાનો છે.

વર્તમાનમાં રાજ્યમાં ત્રણ અલગ-અલગ ગણોત કાયદા અમલમાં છે, જેના કારણે કાયદાકીય પ્રક્રિયાઓમાં ઘણીવાર અસ્પષ્ટતા જોવા મળતી હતી. ખાસ કરીને ગેરકાયદેસર જમીન તબદીલીના કિસ્સામાં જમીન ફરી ખેડૂતને સોંપવી કે સરકાર હસ્તક લેવી તે માટે કોઈ ચોક્કસ પ્રક્રિયા નહોતી. આ ઉપરાંત, બિનખેડૂત વ્યક્તિને જમીન વેચવાના કિસ્સામાં જંત્રીના ત્રણ ગણા દંડની જોગવાઈ હતી, પણ તે ભરવા માટે સમયમર્યાદા નક્કી નહોતી.
નવા સુધારા મુજબ હવે કલેક્ટર પોતે અથવા અસરગ્રસ્ત વ્યક્તિની અરજીના આધારે ગેરકાયદેસર જમીન તબદીલી સામે તુરંત કાર્યવાહી કરી શકશે. જો જમીનનું વેચાણ કાયદા વિરુદ્ધ જણાશે, તો કલેક્ટર દ્વારા ત્રણ મહિનાની અંદર મૂળ વિક્રેતાને જમીન પરત કરવાની સૂચના આપવામાં આવશે. ખરીદનારે પણ નિર્ધારિત સમયમાં જમીન સોંપવી પડશે, અન્યથા તે જમીન તમામ બોજાઓમાંથી મુક્ત થઈને સીધી રાજ્ય સરકાર હસ્તક જશે.
સરકાર હસ્તક આવેલી આવી જમીનોનો નિકાલ સરકારી પડતર તરીકે થશે અથવા તેનો ઉપયોગ શાળા અને હોસ્પિટલ જેવા જાહેર કાર્યો માટે કરાશે. કલમ 75(A) હેઠળ હવે બિનખેડૂત વ્યક્તિએ જંત્રીના ત્રણ ગણા દંડની રકમ માત્ર એક મહિનાની અંદર જ ફરજિયાતપણે ભરપાઈ કરવાની રહેશે. દંડ ચૂકવ્યા બાદ જમીન મૂળ ખેડૂત ખાતેદારને પરત સોંપવાની રહેશે, જેથી ખેડૂતોને વર્ષો સુધી ન્યાય માટે લાંબી રાહ જોવી નહીં પડે.
આ કાયદાકીય સુધારાથી સમગ્ર રાજ્યમાં ગણોત કાયદાઓનો એકસમાન અમલ થશે અને વહીવટી કાર્યક્ષમતામાં મોટો વધારો જોવા મળશે. સ્પષ્ટ સમયમર્યાદા નક્કી થવાથી ગેરકાયદેસર જમીન વ્યવહારો પર અંકુશ આવશે અને ખેડૂતોની આજીવિકા સમાન જમીનનું રક્ષણ થશે. આ સુધારો વર્ષ 2015ની અસરથી લાગુ કરવાનું સૂચવાયું છે, જે કાયદાકીય વિવાદો ઘટાડવામાં અને પારદર્શિતા લાવવામાં મદદરૂપ સાબિત થશે.
-
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા










Click it and Unblock the Notifications
