હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી બનાવાયા
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં તાજેતરમાં થયેલા ફેરફાર અને વિસ્તરણ બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નવા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે.
હવેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌસંવર્ધનના મંત્રી જીતુ વાઘાણી રાજ્ય સરકારના પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળશે.

નવી જવાબદારી હેઠળ, આ બંને મંત્રીઓ રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ નિર્ણયો, કેબિનેટના ઠરાવો, નીતિ વિષયક બાબતો અને વિકાસલક્ષી પહેલોની માહિતી મીડિયા બ્રિફિંગ દ્વારા જનતા સુધી પહોંચાડશે. સરકાર અને લોકો વચ્ચે સંવાદની કડીને વધુ મજબૂત બનાવવામાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવશે.
અગાઉ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આ જવાબદારી સંભાળતા હતા. હવે આ મહત્ત્વપૂર્ણ પદ પર યુવા અને અનુભવી નેતાઓની નિમણૂક થતાં સરકારના સંદેશાવ્યવહારમાં મોટી ભુમિકા ભજવશે.
જણાવી દઈએ કે, હાલ ગુજરાતમાં બીજેપી સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતીમાં આ બન્નેની જવાબદારી મોટી થઈ જાય છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
