For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર પ્રદૂષિત નદીઓ બદલ ગુજરાત સરકારને નોટિસ મળી

|
Google Oneindia Gujarati News

polluted-river
અમદાવાદ, 29 એપ્રિલ : ગુજરાત રાજ્યની ચાર નદીમાં ગંદો કચરો તથા અન્ય ઝેરી પદાર્થો ઠાલવવામાં આવતા હોવાથી તે પ્રદૂષિત થઈ ગઈ છે અને તેને તાકીદે સ્વચ્છ કરવાની જરૂર છે એવી માગણી કરતી એક જાહેર હિતની અરજી ઉપરની સુનાવણીમાં ગુજરાત હાઈ કોર્ટે ગુજરાત સરકાર તથા ગુજરાત પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડને નોટિસ મોકલાવી છે.

રાજ્યના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની બનેલી ડિવિઝન બેન્ચે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના મ્યુનિસિપલ સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ નોટિસનો જવાબ આપે. કોર્ટે કેસની હવે પછીની સુનાવણી જૂનના પહેલા અઠવાડિયામાં રાખવાનું નક્કી કર્યું છે.

અરજદાર પ્રકાશ કાપડિયા છે જે ‘જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ' નામની બિન-સરકારી સંસ્થાના પ્રમુખ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રાજ્યની ચાર મોટી નદી - સાબરમતી (અમદાવાદ), વિશ્વામિત્રી (વડોદરા), તાપી (સુરત) અને આજી (રાજકોટ)માં ખૂબ જ પ્રદૂષણ ફેલાયેલું છે, કારણ કે તેમાં ગટરનું પાણી, ગંદો કચરો અને કારખાનાઓના ઝેરી પદાર્થોને ઠાલવવામાં આવે છે.

અરજદારનો એવો પણ આરોપ છે કે તંત્રમાં ભ્રષ્ટાચાર હોવાને લીધે ઉદ્યોગો એમનો ઝેરી કચરો નદીઓમાં ઠાલવી તેને પ્રદૂષિત કરે છે. જીપીસીબી આને રોકવામાં નિષ્ફળ ગયું છે.

English summary
Gujarat Government got notice for four river's pollution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X