ગુજરાત સરકારે આફત નુકસાન વળતર રકમ વધારી
ગાંધીનગર, 27 સપ્ટેમ્બર : ગુજરાત સરકારે આફત પીડિતોની દૈનિક સહાયતામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના પરિણામે પૂર, ભૂકંપ અથવા અન્ય કુદરતી આફતોમાં સંપત્તિ અને પાકને થયેલા નુસકાનના વળતરમાં વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર આફત પીડિતોને દૈનિક સહાયના રૂપમાં વયસ્ત વ્યક્તિઓને દૈનિક રૂપિયા 40 અને અવયસ્કોને દૈનિક રૂપિયા 30ના સ્તરે રોકડ સહાય આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ વધારો મંજૂર કરાયો તે પહેલા અનુસાર દૈનિક સહાયતા તરીકે વયસ્કોને રૂપિયા 30 અને અવયસ્કોને રૂપિયા 20 આપવામાં આવતી હતી. આ ઉપરાંત સંપૂર્ણ નષ્ટ થઇ ગયેલા રહેઠાણના નુકસાનના વળતરના રૂપમાં 35000 રૂપિયાની જુની સહાયતામાં વધારો કરીને હવે તેને રૂપિયા 70000 કરવામાં આવી છે.
ખેતીના પાકની બાબતમાં 50 ટકા નુકસાન પર બિન સિંચાઇ વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂપિયા 3000 સહાય આપવામાં આવતી હતી તેને વધારીને રૂપિયા 4000 કરવામાં આવી છે. જ્યારે સિંચાઇ વાળા વિસ્તારોમાં સહાયની રકમ પ્રતિ હેક્ટર રૂપિયા 6000થી વધારીને 9 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બારમાસી પાકોના નુકસાનના વળતરની રકમ રૂપિયા 8000થી વધારીને રૂપિયા 12000 કરવામાં આવી છે.
આ અંગે ગુજરાતના નાણા મંત્રી અને રાજ્યના પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું કે આફાત પીડિતોને આપવામાં આવતી દૈનિક સહાય રકમ અને પાકના નુકસાનનું વળતર વધારનો નિર્ણય તાત્કાલિત અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. તેનો લાભ જૂન 2013થી શરૂ થયેલા ચોમાસામાં અસરગ્રસ્તોને મળશે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
