Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાત સરકાર 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે

Gujarat News: માવઠાથી પાકને નુકસાન થયા બાદ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો, ટૂંક સમયમાં રાહત પેકેજ પણ જાહેર થવાની શક્યતા

Gujarat News

ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ અને સોયાબીન સહિતના ઊભા પાકોમાં ભારે નુકસાન થયું છે. કુદરતી આફતથી ખેતીને થયેલા નુકસાન બાદ ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ સંજોગોમાં, રાજ્ય સરકારે ખેડૂતોને હિંમત આપવા અને આર્થિક સહાય કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

9 નવેમ્બરથી ખરીદી શરૂ

રાજ્ય સરકારે ખેડૂતોએ પકવેલા મુખ્ય પાકો જેવા કે મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.

ખેડૂતોની સુખાકારીની ચિંતા કરીને સરકારે આ ખરીદી આગામી 9મી નવેમ્બર, 2025થી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

અગાઉ માવઠાને કારણે ખરીદીની જાહેરાત છતાં તે થઈ શકી નહોતી, તેથી સરકારે આ ફરીવાર જાહેરાત કરી છે, જેથી ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે.

સરકાર ખેડૂતોની સાથે

CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કુદરતી આપદાની આ સ્થિતિમાં અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે સંવેદના સાથે તંત્રને કાર્યરત કર્યું છે.

CMએ ગાંધીનગર ખાતે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં પાક નુકસાનીનો સર્વે ઝડપથી પૂર્ણ કરવા અને અસરગ્રસ્ત ખેડૂતો માટેનું રાહત પેકેજ જાહેર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ખેડૂતો માટેનું રાહત પેકેજ ટૂંક સમયમાં જ જાહેર થાય તેવી પૂરી સંભાવના છે, જે ખેતીના નુકસાન સામે આર્થિક મદદરૂપ સાબિત થશે. સરકારની આ જાહેરાતથી નુકસાની વેઠનાર ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X