Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GSRTC કર્મચારી પર મહેરબાન થઈ ગુજરાત સરકાર, આપશે 14 લાખની સહાય

Gujarat government: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ GSRTC નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે કે, આ નિર્યણ અંતર્ગત GSRTC કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂપિયા 14 લાખની સહાય આપવામાં આવશે.

આ યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ, મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને પહોંચાડવા માટે GSRTC નિગમના કર્મચારીઓ કોઈ પણ તહેવારની રજા લીધા વિના ફરજ પર હર હમેશ નિષ્ઠાથી કાર્યરત રહે છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મયોગીને કોઈ પણ પ્રકારે અવસાન થાય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા તેના આશ્રિત કુટુંબને રૂપિયા 14 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સહાય પહેલા એસ.ટી નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનારા વર્ગ-3 અને વર્ગ - 4ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને રૂપિયા 4/-લાખ, રૂપિયા 5/-લાખ અને રૂપિયા 6/- લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી.

આ સિવાય એસ.ટી નિગમના નિયુકત કરવામાં આવેલા પાંચ વર્ષિય ફિક્સ પગારની કરાર આધારીત સેવાના વર્ગ-3 અને વર્ગ-4 ના અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી.

Gujarat government

રાજ્ય સરકારના આ નિર્ણયથી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ- 3 અને વર્ગ- 4ના કર્મચારીઓના તારીખ 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂપિયા 14/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવાની રહેશે.

આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલ પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂપિયા 14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ અને પાંચ વર્ષની ફિક્સ કરારીય સેવામાં નિમણુંક પામેલ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન તારીખ 12 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ -3 અને વર્ગ- 4ના 153 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 21 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.

જેમાં જૂની યોજના પ્રમાણે 124 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ 32 લાખની સહાય કરવામાં આવી છે, અને બાકીની સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે, એમ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X