સાકાર થશે ગુજરાતનો ઝુંપડપટ્ટી મુક્ત ગુજરાતનો સંકલ્પ
ગાંધીનગર, 17 જાન્યુઆરીઃ રાજ્ચ સરકારે ઝુંપડપટ્ટી મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ગૃહ યોજનાની જાહેરાત કરી છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગોને આગામી પાંચ વર્ષમાં વાજબી કિંમતે આવાસ મળી શકે તે હેતુથી સરકારી સંસ્થાઓ તેમજ ખાનગી વિકાસકારોને પણ જોડવાની રાજ્ય સરકારની નેમ છે. રાજ્ય સરકારે આ માટે એફોર્ડેબલ હાઉસીંગ માટેની નીતિની પણ જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે યોજનાના ઝડપી અને યોગ્ય અમલીકરણ માટે જાહેર અને ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. આ નીતિ મુજબ ખાનગી વિકાસકારને પ્રોત્સાહન માટે ચારેય કેટેગરીના આવાસો બાંધવામાં આવે તે પ્લોટ ઉપર એફોર્ડેબલ કે ફ્રી સેલ એમ બંને પ્રકારના બાંધકામ માટે મહત્તમ ત્રણ સુધી એફએસઆઇ મળવાપાત્ર થશે. વિકાસકાર દ્વારા એફોર્ડેબલ બાંધકામ સિવાયની બાકીની જમીન ઉપર કોઇપણ પ્રકારના મકાન-ફ્લેટ બાંધી શકાશે બાકીની જમીન ઉપર કુલ બાંધકામના ૧૦ ટકા અથવા સ્થાનિક જીડીસીઆરની જોગવાઇઓ પૈકી જે વધારે હશે તે કોમર્શિયલ બાંધકામ મળવાપાત્ર થશે.
આ પ્રોજેક્ટ માટે ૧૮ મી. અથવા વધુ પહોળાઇના રોડ ઉપરના બિલ્ડીંગની ઊંચાઇ ૪૫ મી. અને ૩૦ મી. અથવા વધુ પહોળાઇના રોડ ઉપરના બિલ્ડીંગની ઊંચાઇ ૭૦ મી. સુધી મંજૂર કરી શકાશે. આ પ્રોજેક્ટ માટે વરસાદના પાણીનો સંગ્રહ ફરજીયાત છે. બાંધકામ ટેકનોલોજી કેન્દ્ર કે રાજ્ય સરકારના દ્વરા માન્ય સક્ષમ સંસ્થા દ્વારા ચકાસીત અને પ્રમાણિત હોવી જોઇશે. શક્ય હોય ત્યાં સુધી એનર્જી સેવીંગ, ઇકો ફ્રેન્ડલી બિલ્ડીંગ મટેરીયલ્સનો ઉપયોગ તેમજ વોટર રીસાયકલ થાય તે ઇચ્છનીય છે.
આવાસ યોજનામાં લેન્ડ સ્કેપીંગ અને વૃક્ષારોપણ કરવાનું રહેશે. આ યોજના માટે મહાનગરપાલિકા તેમજ શહેરી વિકાસ સત્તાંમંડળના ૮ કી.મી., અ-વર્ગની નગરપાલિકા વિસ્તારમાં ૫ કી.મી. તેમજ અન્ય નગરપાલિકા વિસ્તારમાં ૩ કીમી.ની ત્રિજ્યામાં મકાન ધરાવતા ન હોય તેઓ આવા આવાસ મેળવવાને પાત્ર બનશે.
આ ઉપરાંત આ નીતિમાં દર્શાવ્યા પ્રમાણે એફોર્ડેબલ આવાસ માટે પસંદ કરેલા લાભાર્થીઓને જાહેર સંસ્થાઓની જમીન તેમના મકાનના બાંધકામ પૂરતી ૯૯ વર્ષના ભાડાપટ્ટાથી આપવાની રહેશે. આખરી યાદી મુજબ ફાળવણી અમલીકરણ એજન્સી દ્વારા કરવામાં આવશે. એલોટમેન્ટ બાદ લાભાર્થીએ કુલ કિંમતના દસ ટકા પેમેન્ટ કરવાનું રહેશે અને અમલીકરણ એજન્સીએ વિકાસકારને બાંધકામના પ્રમાણમાં ચૂકવણી રિલિઝ કરવાની રહેશે. જ્યારે બાંધકામ પૂર્ણ થયા બાદ ત્રણ માસમાં અમલીકરણ એજન્સી દ્વારા લાભાર્થીઓની સોસાયટીની રચના કરી નિભાવણીની કામગીરી સોંપવામાં આવશે. એમઆઇજીના લાભાર્થીઓ પાંચ વર્ષ સુધી જ્યારે બાકીના સાત વર્ષ સુધી ફાળવવામાં આવેલાં આવાસ વેંચી શકશે નહી કે ભાડે આપી શકશે નહીં.
આ નીતિ અંતર્ગત બાંધકામની પૂરી તકેદારી રાખવાની રહેશે અને અમલીકરણ એજન્સી દ્વારા યોજના દિઠ તાંત્રિક અધિકારીને જવાબદારી સોંપવાની રહેશે તેમજ સક્ષમ ટીપીઆઇ દ્વારા ગુણવત્તાલક્ષી ચકાસણી કરાવવાની રહેશે. આવા મકાનો માટે સ્ટ્રક્ચરલ ડિફેક્ટ લાયેબિલીટી પીરીયડ બાંધકામ પૂર્ણ થયા બાદ દસ વર્ષનો રહેશે. જો કે, લાભાર્થી પાસેથી આવાસ યોજનાની જાળવણી અને મરામત માટે યોગ્ય ડિપોઝીટ લેવામાં આવશે તેમજ મરામતની જવાબદારી એસોસીએશનની રહેશે
રાજ્ય સરકારની એફોર્ડેબલ હાઉસીંગ યોજના અંતર્ગત ત્રણ મોડેલ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ મોડેલ અંતર્ગત જાહેર જમીન ઉપર જાહેર એજન્સી કામગીરી કરશે. જેમાં વિકાસકારની પસંદગી જાહેર ટેન્ડર પ્રક્રિયા દ્વારા સૌથી ઓછી કિંમતના માપદંડ મુજબ કરવાની રહેશે. બીજા મોડેલમાં જાહેર જમીન ઉપર ખાનગી વિકાસકારને તક આપવામાં આવશે. જેમાં એફોર્ડેબલ મકાનો ખાનગી વિકાસકાર દ્વારા સરકારી કે હાઉસીંગ બોર્ડની જમીનો ઉપર બાંધવામાં આવશે. વિકાસકારની પસંદગી ટેન્ડર દ્વારા કરવામાં આવશે. વધુમાં વધુ બિલ્ડ અપ બનાવવાની ઓફર આપવામાં આવશે તેની પસંદગી કરવામાં આવશે. બાકીનો બિલ્ડ અપ ખાનગી વિકાસકાર એફોર્ડેબલ આવાસ યોજના માટેના પ્લોટ ઉપર જ પોતાના ફ્રી સેલ માટે કરી શકશે. જેમાં વિકાસકાર દ્વારા બાંધવામાં આવનાર આવાસના બિલ્ટઅપ એરિયાના ઓછામાં ઓછા ૬૦ ટકા માટે રહેણાંક જંત્રી દર રૂ. ૧૫,૦૦૦ પ્રતિ ચો. મી. કરતાં ઓછી અને ઓછામાં ઓછા ૭૦ ટકા માટે રૂ. ૧૫,૦૦૦ પ્રતિ ચો. મી. કરતાં વધુ જંત્રી દર રહેશે.
આ યોજના માટેની એજન્સી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શહેરી વિકાસ સત્તામંડળ, વિસ્તાર વિકાસ સત્તામંડળ રહેશે. મોડેલ-ત્રણમાં ખાનગી જમીન ઉપર ખાનગી વિકાસકારને પ્રોત્સાહિત કરવામાં આવશે. આવા વિકાસકાર ખાનગી જમીન ઉપર ઓઆરએસ ઝોનમાં ફક્ત એફોર્ડેબલ હાઉસીંગ તેમજ નીતિ મુજબ કોમર્શિયલ બાંધકામ કરી શકશે. રહેણાંક હેતુવાળા અન્ય ઝોનમાં કુલ બાંધકામના ૬૦ ટકા એફોર્ડેબલ હાઉસ બનાવવાના રહેશે. તેમજ કુલ બાંધકામના ૧૫ ટકા અથવા કુલ આવાસોના ૩૫ ટકા બે પૈકી જે વધારે હોય તે મુજબ ઇડબ્લ્યુએસ કે એલઆઇજી પ્રકારના આવાસો બનાવવાના રહેશે.
રાજ્ય સરકારની આ યોજનાને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને પરવડે તેવા મકાનો તૈયાર કરવાનો રાજય સરકારનો સંકલ્પ મુખ્ય મંત્રી ગૃહ યોજના દ્વારા સાકાર થઇ રહ્યો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
