Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત હાઇકોર્ટે નરોડા પાટીયા કેસમાં દોષિત બાબુ બજરંગીને હંગામી જામીન આપ્યા

અમદાવાદ, 5 ઓગસ્ટ : આજે ગુજરાત હાઇકોર્ટે એક આદેશમાં નરોડા પાટિયા રમખાણ કેસમાં દોષિત ઠરેલા અને જેલવાસ ભોગવતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના નેતા બાબુ બજરંગીને હંગામી કે કામચલાઉ (ટેમ્પરરી) જામીન આપ્યા છે.

નોંધનીય છે કે આ જામીન બાબુ બજરંગીને તેમની આંખોની સારવાર કરાવવા માટે આપવામાં આવ્યા છે. એક મહિના પહેલા બાબુ બજરંગીએ તેમની આંખોની સારવાર કરાવવાના સંદર્ભમાં એક જામીન અરજી હાઇકોર્ટમાં કરી હતી.

babu-bajrangi-vhp

નરોડા પાટિયા કેસમાં આજીવન કેદની સજા પામેલા બાબુ બજરંગીએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે તેમની આંખોમાં 90 ટકા અને 40 ટકા વિઝન જતું રહ્યું છે. તેથી તેમને જરૂરી ટ્રીટમેન્ટ કરાવવા કામચલાઉ જામીન જરૂરી છે.

નોંધનીય છે કે નીચલી અદાલતે ૨૦૧૨માં બાબુ બજરંગીને આજીવન કેદની સજા કરી હતી. જો કે તે સામે આ પહેલા પણ નવેમ્બર, 2013માં પણ ગુજરાત હાઈકોર્ટે બાબુ બજરંગીને તેમના પિતાની સારવારના સંદર્ભમાં એક મહિનાના જામીનની માંગ સામે દસ દિવસના જામીન આપ્યાં હતા.

નોંધનીય છે કે નરોડા પાટિયા કાંડમાં 50થી વધુ લોકોના મોતના મામલે કોર્ટે માયાબહેન કોડનાની, બાબુ બજંરગી સહિત દસ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તાજેતરમાં માયા કોડનાનીને આ જ કેસમાં હાઈકોર્ટમાં કાયમી જામીન આપ્યા બાદ હવે બીજા આરોપીને પણ હાલ 11 દિવસના જામીન મળી ગયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X