Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જન્માષ્ટમીના તહેવાર પહેલા ગરીબ પરિવારો માટે સરકારનો મોટો નિર્ણય, રાહતદરે ખાંડ અને ખાદ્ય તેલ મળશે

ગુજરાત સરકારે રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકે તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ આ યોજના હેઠળ 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવશે.

Special Janmashtami Ration Scheme

જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA)-2013 હેઠળ સમાવિષ્ટ પરિવારો તેમજ Non-NFSA BPL પરિવારોને ગુણવત્તાયુક્ત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ બજારભાવ કરતાં ઘણી ઓછી કિંમતે આપવામાં આવશે. કાર્ડદીઠ 1 લિટર પાઉચ માત્ર ₹100 પ્રતિ લિટરના રાહત દરે ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત BPL અને અંત્યોદય કુટુંબોને નિયમિત મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે. BPL કુટુંબોને કાર્ડદીઠ 1 કિલોગ્રામ ખાંડ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે જ્યારે અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિલોગ્રામ ખાંડ 15 રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વધુમાં કહ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત NFSA હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશનકાર્ડધારક પરિવારોના 3.18 કરોડ સભ્યોને દર મહિને ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ જેવી આવશ્યક ચીજવસ્તુઓ આપવામાં આવે છે.

આ ઉપરાંત, વર્ષમાં આવતા બે મુખ્ય તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબદીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ અને તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે ઉમેર્યું કે, આગામી ઓગસ્ટ-2025માં આવનાર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹30 પ્રતિ કિલોગ્રામના રાહત દરે અને તુવેરદાળ કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹50 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવશે.

આ સિવાય NFSA હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબ તેમજ Non-NFSA BPL કુટુંબોને મીઠું કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹1 પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે.

લાભાર્થીઓ જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે ઓગસ્ટ-2025ના પ્રારંભમાં જ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચી જાય તે માટે જુલાઈ-2025માં જ ઓગસ્ટ મહિના માટેની જણસીઓની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ ફાળવણીના ચલણ/પરમીટ અન્વયે જથ્થાની ડોરસ્ટેપ વિતરણની કામગીરી પણ હાલ સક્રિય રીતે ચાલી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X