જન્માષ્ટમીના તહેવાર પહેલા ગરીબ પરિવારો માટે સરકારનો મોટો નિર્ણય, રાહતદરે ખાંડ અને ખાદ્ય તેલ મળશે
ગુજરાત સરકારે રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકે તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ આ યોજના હેઠળ 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવશે.

જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA)-2013 હેઠળ સમાવિષ્ટ પરિવારો તેમજ Non-NFSA BPL પરિવારોને ગુણવત્તાયુક્ત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ બજારભાવ કરતાં ઘણી ઓછી કિંમતે આપવામાં આવશે. કાર્ડદીઠ 1 લિટર પાઉચ માત્ર ₹100 પ્રતિ લિટરના રાહત દરે ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત BPL અને અંત્યોદય કુટુંબોને નિયમિત મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે. BPL કુટુંબોને કાર્ડદીઠ 1 કિલોગ્રામ ખાંડ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે જ્યારે અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિલોગ્રામ ખાંડ 15 રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વધુમાં કહ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત NFSA હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશનકાર્ડધારક પરિવારોના 3.18 કરોડ સભ્યોને દર મહિને ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ જેવી આવશ્યક ચીજવસ્તુઓ આપવામાં આવે છે.
આ ઉપરાંત, વર્ષમાં આવતા બે મુખ્ય તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબદીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ અને તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે ઉમેર્યું કે, આગામી ઓગસ્ટ-2025માં આવનાર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹30 પ્રતિ કિલોગ્રામના રાહત દરે અને તુવેરદાળ કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹50 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવશે.
આ સિવાય NFSA હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબ તેમજ Non-NFSA BPL કુટુંબોને મીઠું કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹1 પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે.
લાભાર્થીઓ જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે ઓગસ્ટ-2025ના પ્રારંભમાં જ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચી જાય તે માટે જુલાઈ-2025માં જ ઓગસ્ટ મહિના માટેની જણસીઓની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ ફાળવણીના ચલણ/પરમીટ અન્વયે જથ્થાની ડોરસ્ટેપ વિતરણની કામગીરી પણ હાલ સક્રિય રીતે ચાલી રહી છે.
-
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે સરકારી ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન -
Delhi Ring Metro Network: PM મોદીએ લોન્ચ કરી દેશની પ્રથમ 'રિંગ મેટ્રો', જાણો સંપૂર્ણ વિગત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત





Click it and Unblock the Notifications
