એનજીઓએ કહ્યું SCને : ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક કાયદાનો ભંગ

અમદાવાદ સ્થિત એનજીઓ નેશનલ કાઉન્સિલ ફોર સિલિવ લિબર્ટીઝ (એનસીસીએલ)ના સિનિયર કોન્સેલ સોલી સોરાબજીએ જસ્ટિસ બી એસ ચૌહાણની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું છે કે "ગવર્નર સુપ્રીમ કોર્ટના આદેશને બાજુ પર મુકીને કાયદાનો ભંગ કરી રહ્યા છે. તેમણે મંત્રીમંજળની રજૂઆતને પણ અવગણી છે."
એડવોકેટ ઉમેશ શુક્લા સાથે મળીને સોરાબજીએ જણાવ્યું કે ગુજરાત એક્ટ હેઠળ લોકાયુક્તની નિયુક્તિને સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટના જજની સમકક્ષ ગણી શકાય નહીં. લોકાયુક્ત ન્યાયિક સત્તા નથી.
એનસીસીએલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી અને તેના પર હાઇ કોર્ટે રોકી રાખેલા આદેશના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.












Click it and Unblock the Notifications
