ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કર્યું નવું લોકાયુક્ત બિલ
સરકાર નવા વિધેયકમાં લોકાયુક્ત આર એ મેહતાની સાથે બે નવા લોકાયુક્ત અને ચાર ઉપલોકાયુક્તનું પ્રાવધાન કરાવવાની છે. સરકાર 6 સભ્યોની કમિટિ બનાવશે આ કમિટિમાં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, એક મંત્રીની સાથે વિપક્ષના નેતા, હાઇકોર્ટના સિનિયર જસ્ટિસ અને વિજિલેન્સ કમિશ્નર રહેશે. આ કમિટિ માત્ર લોકાયુક્તના નામનો સુજાવ આપવાનું કામ કરશે, પરંતુ આખરી નિર્ણય પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી કરશે.
કોંગ્રેસનું કહેવું છે કે સરકાર ગવર્નર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા લોકપાલથી ડરી ગઇ છે અને સરકાર પોતાના ઘોટાળાઓથી બચવા માટે રાજકારણ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ દ્વારા લોકાયુક્ત જસ્ટીસ આર એ મેહતાની વરણીને ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટમાં બે વખત અને સુપ્રીમ કોર્ટમાં ત્રણ વાર પડકારી ચૂકી હતી. સુપ્રિમ કોર્ટે પણ સરકારની સામે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. હવે ગુજરાત સરકારે ક્યૂરેટિવ બેંચમાં અપીલ કરી છે.