ગુજરાત પોલિસની કારનો રાજસ્થાનમાં મોટો અકસ્માત, 4 પોલિસકર્મી અને 1 આરોપીનુ મોત
દિલ્લીથી ગુજરાત આવી રહેલી એક પોલિસ કારનો અકસ્માત થયો છે.
ભાવનગરઃ દિલ્લીથી ગુજરાત આવી રહેલી એક પોલિસ કારનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલિસકર્મી અને 1 આરોપીનુ મોત થયુ છે. આ અકસ્માત રાજસ્થાનના જયપુર નજીક થયો છે. માહિતી મુજબ પોલિસના જવાનો આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા.

દિલ્લી-જયપુર રોડ પર શાહપુરા નજીક એક કારમાં સવાર આરોપી અને ગુજરાતના ચાર પોલિસકર્મીઓ ગઈ રાતે એક અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ દિલ્લીથી ગુજરાત આવી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી જેના કારણે ગુજરાત પોલિસના 4 જવાન અને 1 આરોપીનુ મોત થયુ છે. જાણવા મળી રહ્યુ છે કે પોલિસ જવાનો એક આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે.
તમને જણાવી દઈએ કે અકસ્માતનો ભોગ બનેલા પોલિસકર્મીઓ ભાવનગરમાં ગુજરાત પોલિસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરુ પોલિસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે. 8 તારીખે ભાવનગર ઘરફોડ ચોરીની તપાસમાં પોલિસકર્મીઓ દિલ્લી પહોંચ્યા હતા જ્યાં તપાસ બાદ એક આરોપીને પકડીને પાછા આવી રહ્યા હતા ત્યારે મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ ગુજરાત પોલિસકર્મીઓમાં ભીખુભાઈ બુકેરા-કોન્સ્ટેબલ, શક્તિસિંહ ગોહેલ- કોન્સ્ટેબલ, મનસુખ બાલધીયા-કોન્સ્ટેબલ, ઈરફાન અગવાન-કોન્સ્ટેબલના નામ સામે આવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના પર દુઃખ વ્યક્તિ કરીને ટ્વિટ કર્યુ કે, 'દિલ્લીથી પરત આવતા જયપુર નજીક બનેલી દૂર્ઘટનામાં 4 પોલિસકર્મી તેમજ 1 આરોપી સહિતના લોકોના માર્ગ અકસ્માતની માહિતી મળી છે તે અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના.'
દિલ્લીથી પરત આવતા જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં ૪ પોલીસકર્મી તેમજ ૧ આરોપી સહિતના લોકોની માર્ગઅકસ્માતની જાણકારી મળી છે તે અત્યંત દુઃખદ છે.ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 15, 2022
ૐ શાંતિ..!
દિલ્હીથી આરોપીને ઝડપી, ગુજરાત આવી રહેલ ગુજરાતના ચાર પોલીસ જવાનોનું રાજસ્થાનના જયપુર પાસે ગંભીર અકસ્માતને લીધે નિધન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) February 15, 2022
ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.🙏🏻
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
