ગુજરાત: પોલીસે 6 યુવકોને ગુપ્તાંગમાં કરંટ આપ્યો, જાણો કારણ
ગુજરાતના અમદાવાદના રિવરફ્રન્ટ પર થયેલી એક હત્યાની વારદાત ઉકેલવા માટે પોલીસે નજીકના ગાર્ડનમાં કામ કરી રહેલા 6 યુવકોને પકડ્યા.
ગુજરાતના અમદાવાદના રિવરફ્રન્ટ પર થયેલી એક હત્યાની વારદાત ઉકેલવા માટે પોલીસે નજીકના ગાર્ડનમાં કામ કરી રહેલા 6 યુવકોને પકડ્યા. આ યુવકોને હત્યાના દોષી માનતા પોલીસે તેમને હત્યાનો ભેદ જણાવવા માટે કહ્યું. તેઓએ કઈ પણ નહીં કહ્યું ત્યારે પોલીસે તેમને બેરહેમીથી પ્રતાડિત કર્યા. ડંડા, બેલ્ટ અને લોખંડના ડંડાથી તેમન પીટાઈ કરી. ત્યારપછી સિપાહીઓએ તેમના ગુપ્તાંગમાં વીજળીના શોટ પણ આપ્યા. તેઓ બેભાન થઇ ગયા અને કરંટથી સળગવાને કારણે તેમના શરીર પરકાળા ચકતાં પડી ગયા. તેમને કહ્યું કે તેઓ હત્યાનો ગુનો કબૂલ કરી લે.

આ હતો હત્યાનો મામલો
સૂત્રો અનુસાર પોલીસે યુવકોને વીજળીના કરંટથી પ્રતાડિત કર્યા વીજળીના કરંટને કારણે તેઓ બેભાન થઇ ગયા અને તેમની હાલત ખરાબ થઇ. આપને જણાવી દઈએ કે રિવરફ્રન્ટમાં ઇવેન્ટ ગાર્ડન પાસે આનંદ મેળાની દીવાલથી થોડે દૂર એક યુવકની લાશ મળી હતી. હત્યાની ફરિયાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી. ત્યારે પોલીસે મધ્યપ્રદેશના જાંબુઆ કામ કરવા માટે અમદાવાદ આવેલા 12 મજૂરોની જાંચ કરી.

આ 6 યુવકોને ખુબ જ ખરાબ રીતે પ્રતાડિત કરવામાં આવ્યા
કેટલાક મજૂરોને જાંચમાં સહયોગ કરવા માટે બોલાવવામાં આવ્યા. પોલીસે તેમની પીટાઈ શરુ કરી દીધી. તેમને કઈ પણ નહીં કહ્યું ત્યારે પોલીસે તેમના ગુપ્તાંગમાં કરંટ આપ્યો. તેમને એટલા પ્રતાડિત કરવામાં આવ્યા કે ઉપચાર માટે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

પગમાં ફ્રેક્ચર, શરીરમાં કાળા ડાઘ
ડોક્ટરો અનુસાર વીજળીથી બળી જવાને કારણે આ મજૂરોના પગ અને શરીર પર કાળા ડાઘ પડી ગયા. એક મજુર નયન હુરિયાના જમણા પગે ફ્રેક્ચર પણ થઇ ગયું. આ મામલે કેટલાક લોકોનું માનવું છે કે માનવ અધિકાર તેમાં ધ્યાન આપી શકે છે.












Click it and Unblock the Notifications
