પોલીસતંત્ર-આરોગ્યતંત્રને અવરોધતાં તત્વો સામે કરાશે લાલ આંખઃ પ્રદિપસિંહ જાડેજા
પોલીસતંત્ર-આરોગ્યતંત્રને અવરોધતાં તત્વો સામે કરાશે લાલ આંખઃ પ્રદિપસિંહ જાડેજા
રાજ્યમાં પોલીસ અને આરોગ્યકર્મીઓની સેવા અવરોધતાં પરિબળોને સાંખી નહી લેવાની ચીમકી રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી છે. લોકડાઉનના પગલે પોલીસ બંદોબસ્તની સમીક્ષા દરમિયાન ગૃહમંત્રીએ જણાવ્યું હતું. પોલીસ સંયમ અને સંવેદનાથી ફરજ બજાવે છે. પરંતુ, કેટલાક લોકોના અસહકાર ભર્યા વલણના પગલે ક્યાંક કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. ત્યારે, લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે પોલીસ તંત્ર કડકાઈથી લોકડાઉનનો અમલ કરાવી રહ્યું છે. પોલીસની ભલમનસાઈ-સયમને હળવાશથી ન લેવા અપીલ કરી હતી.

બેજવાબદાર લોકોના કારણે થતું નુકસાન અસહ્ય
નાગરિકોનો અત્યાર સુધી લોકડાઉનમાં ખૂબ સહકાર મળ્યો છે. પરંતુ, લોકો એ વાત યાદ રાખવી જોઈએ કે આ લોકડાઉન લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને આપવામાં આવેલું છે. પોલીસ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે અને અમુક બેજવાબદાર લોકોના કારણે સમગ્ર સમાજને નુકશાન ન જાય તે માટે પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પોલીસતંત્રને પણ આપવામાં આવે છે પુરતી સુરક્ષા સામગ્રી
ગૃહપ્રધાને જણાવ્યું હતુ કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવુ એ આપણો પ્રથમ ધ્યેય છે. આ માટે પોલીસને જો કડકાઈ કરવી પડે તો કરશે. ગુનાઓ પણ દાખલ કરાશે પરંતુ કોઇપણ સંજોગોમાં મહાસંકટ ને હરાવવા માટે પોલીસ ખડેપગે રહેશે. પોલીસ જવાનોને આપવામાં આવતી સવલતો અંગે જણાવ્યું કે, તમામ પોલીસ પોઈન્ટ ઉપર જે પોલીસ જવાનો ફરજ બજાવે છે તેમને તેમની સુરક્ષા માટે માસ્ક, હાથમોજાં, સેનીટાઇઝર વગેરે આપવામાં આવેલા છે અને જરૂર પડ્યે વધુ આપવામાં આવશે.

કોરોના મહામારી સામે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી
સમગ્ર રાજ્યમાં સી.સી.ટી.વી. નેટવર્ક છે તેના દ્વારા પોલીસ નજર રાખી રહી છે. ડ્રોનની મદદથી પણ સમગ્ર રાજ્યમાં આ બાબતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકો અંદરના ભાગે ગલીના ભાગે ભેગા થાય છે તેને પણ ઓળખી કાઢવામાં આવે છે. પેરા મિલેટ્રીની પાંચ કંપની પણ આપવામાં આવી છે. જેનો ઉપયોગ ક્લસ્ટર ક્વોરન્ટીન ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને હરાવવા માટે સોશિયલ ડિસ્ટંન્સીંગ આવશ્યક છે. માટે આ લોકડાઉનમાં પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી.

અમદાવાદનો કોટ વિસ્તાર બફર ઝોન જાહેર
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસાનું સંક્રમણ વધે નહીં તે માટે શહેરના કોટ વિસ્તારને બફર-ઝોન જાહેર કરાયો છે. આ વિસ્તારમાં ચોવીસ કલાક સતત ખડેપગે ફરજ બજાવતા પોલીસકર્મીઓની પણ સ્વાસ્થ્ય સુરક્ષા જળવાય તે માટે ગૃહરાજ્ય મંત્રીશ્રીએ શહેરના અનેક વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પોલીસકર્મીઓને સેનેટાઈઝર, માસ્ક ઉપરાંત ભોજન તથા રહેઠાણ સુવિધાનું નિરિક્ષણ કર્યુ હતું. કોટ વિસ્તારમાં એન્ટ્રી-પોઇન્ટ પર ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓની સ્વાસ્થ્ય સુરક્ષા જળવાય તે માટે મહાનગરપાલિકાને ખાસ સૂચના આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
