Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગ (IMD) તરફથી ગુજરાતના દરિયાકાંઠા માટે માછીમાર ચેતવણી (Fishermen Warning) જારી કરવામાં આવી છે.

પશ્ચિમ વિદર્ભ ઉપર સર્જાયેલું હળવું દબાણનું ક્ષેત્ર પશ્ચિમ તરફ આગળ વધીને 1લી ઓક્ટોબર સુધીમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર પહોંચવાની સંભાવના છે.

fisherman worning

આ સિસ્ટમ આગામી દિવસોમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર તોફાની હવામાન અને સપાટી પર ભારે પવનો લાવી શકે છે.

ભારતીય હવામાન વિભાગની આ ગંભીર ચેતવણી બાદ પોર્ટ ઓર્થોરિટીએ ગુજરાતના તમામ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત (Local Cautionary Signal) નંબર-3 લગાવી દેવામાં આવ્યુ છે.

માછીમારોને 1 ઓક્ટોબર સુધી પૂર્વ-મધ્ય અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં તેમજ ગુજરાતના દરિયાકાંઠાની આસપાસ અને દૂર દરિયો ન ખેડવાની સખત સલાહ આપવામાં આવી છે.

IMD અનુસાર, 1 ઓક્ટોબર સુધી મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

ખાસ કરીને, 29મી અને 30મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ ભારેથી અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાની સાથે અને દૂર તથા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જેની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

દરિયાની સ્થિતિ ખરાબથી લઈને અત્યંત ખરાબ રહેવાની ધારણા છે, જેના કારણે માછીમારી અને અન્ય દરિયાઈ પ્રવૃત્તિઓ ખૂબ જોખમી બની રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X