Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Rain: 30 વર્ષ પછી ગુજરાતમાં વરસાદનુ રૌદ્ર રુપ, નદીઓ છલકાઈ, શહેરો-ગામ ડૂબ્યા, રાજ્યમાં જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સોમવારથી શરૂ થયેલો ભારે વરસાદ મંગળવારે પણ ચાલુ રહ્યો હતો, જેના કારણે ઘરો, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ દરમિયાન, હવામાન વિભાગે આજે એટલે કે 27મી ઓગસ્ટે સાત જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 22 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને ચાર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

vadodara rain

વડોદરામાં સતત વરસાદને કારણે મંગળવારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ ગઈ, રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. રહેવાસીઓએ કહ્યું કે તેઓએ છેલ્લા 30 વર્ષમાં આટલું ગંભીર પૂર અને વરસાદ જોયો નથી.

ગુજરાતના માલપુર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં પણ પૂર જેવી સ્થિતિ છે. આણંદ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે જળબંબાકારની સ્થિતિ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. ગુજરાતમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે.

હવામાન વિભાગે 29 ઓગસ્ટની સવાર સુધી ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને મોટા શહેરોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. રાજ્યના શિક્ષણ વિભાગે સાવચેતીના પગલારૂપે મંગળવારે ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી છે.

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં પુલ ક્રોસ કરતી વખતે ટ્રોલી ટ્રેક્ટર ધોવાઈ જતાં સાત લોકો ગુમ થયા હતા. NDRF અને SDRF લગભગ 20 કલાકથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ પુષ્ટિ કરી કે આ સિઝનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 99 થયો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ભરજ નદીમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે નેશનલ હાઈવે 56 પરના પુલનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જેના કારણે વાહનોની અવરજવર પર ભારે અસર પડી છે. છોટા ઉદેપુરના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ભારાજ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેના કારણે પિલર નંબર ત્રણ પાસેના પુલને નુકસાન થયું હતું.

સોમવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વડોદરા, નવસારી, વલસાડ અને સુરતમાં 4,300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ વડોદરા, આણંદ, ખેડા, નવસારી અને પંચમહાલ હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X