ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ

ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાયું છે અને અમરેલી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરઉનાળે વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે.

અમરેલીના સાવરકુંડલા, ખાંભા અને દામનગર પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. ખાસ કરીને લીલીયાના ગ્રામ્ય વિસ્તારો અને ઠાસા તેમજ ભટ્ટવદરમાં વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

નિષ્ણાતોના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ અણધાર્યો ફેરફાર આવ્યો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X