ગુજરાતમાં ઋતુનો 77.8% વરસાદ પડ્યો, 24 કલાકમાં 228 તાલુકા જળમગ્ન થયા
ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં આ વખતે ભારે વરસાદ થયો છે. રાજ્યના નદી-નાળાઓ, ડેમ અને તળાવોમાં પાણી ભરાયા છે.
ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં આ વખતે ભારે વરસાદ થયો છે. રાજ્યના નદી-નાળાઓ, ડેમ અને તળાવોમાં પાણી ભરાયા છે. કુદરતી સિંચાઇને કારણે ખેતરોમાં મોટા પાયે વાવણી થઈ છે. સાથે જ કેટલાક જિલ્લાઓમાં પૂર અને પાણી ભરાવાના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકામાં વરસાદ વરસ્યો. અમદાવાદના બરવાલામાં 15 ઇંચ, ધંધુકામાં 13 ઇંચ, ગઢ઼ડામાં 12 ઇંચ અને રાણપુર, ગલતેશ્વરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

98 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ
98 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદની ટકાવારી 77.88 રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 98.38 વરસાદ થયો છે.

વરસાદને કારણે 24 કલાકમાં 8 લોકોના મોત
સુરત નજીક ઉકાઇ ડેમમાં પણ નોંધપાત્ર પાણી ભરાયા છે. ડેમ તૂટી જવાનો ભય પણ છે, જેના પગલે સુરતમાં પૂર આવવાની આશંકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદને કારણે આઠ લોકોના મોત નિપજ્યા છે. મધ્યરાત્રિએ ભારે વરસાદને કારણે અમદાવાદના બોપલ વિસ્તારમાં દીવાલ પાડવાના કારણે ઓછામાં ઓછા ચાર લોકોની મોત થઇ ચુકી છે.

અન્ડરબ્રીજને બંધ કરવામાં આવ્યો
આ ઘટના સેલામાં ક્લબ -7 નજીક બની હતી, જ્યાં બિલ્ડિંગ બનાવવામાં આવી રહી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ, શહેરના અખબાર નગર અને પરિમલ બગીચા નજીક અન્ડરબ્રીજ બંધ કરાયો છે. ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા.

ત્રણ માળનો ફ્લેટ ધરાશાયી થયો, 4 લાશ મળી
નડિયાદના પ્રગતિ નગરમાં ત્રણ માળનો ફ્લેટ ધરાશાયી થયો હતો. ત્યાં પણ ચાર લોકોનાં મોત નીપજ્યાં. બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બાકીના દસ લોકોને કાઢવાની કરવાની કામગીરી ચાલુ છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે હાલમાં ફાયર બ્રિગેડ અને જેસીબીની મદદથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મકાનના કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે.

આ ફ્લેટ 20 વર્ષ જૂનો હતો, નોટિસ પછી પણ ખાલી કર્યો ન હતો
પત્રકારના જણાવ્યા અનુસાર, નડિયાદના પ્રગતિ નગરમાં 10 ફ્લેટ છે અને તે 20 વર્ષ જુનો છે. આ ફ્લેટ જર્જરિત હાલતમાં હોવાથી પ્રશાસન દ્વારા લોકોને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી હતી, પરંતુ લોકોએ ફ્લેટ ખાલી કર્યા નહીં. હવે તે ધરાશાયી થઈ ગયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઋતુનો 77.8% વરસાદ પડ્યો, 24 કલાકમાં 228 તાલુકા જળમગ્ન થયા












Click it and Unblock the Notifications
