'પદ્માવતી'ની રિલીઝ અટકાવવા ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી વધુ વિવાદોમાં ફસાઇ છે. ગુજરાતમાં ફિલ્મના કલાકારો પ્રમોશન માટે અમદાવાદ આવવાના છે. આ અંગે વધુ વાંચો અહીં.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ફસાયેલી રહી છે, ત્યારે ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ ફિલ્મની રિલીઝ રોકવા માટે પીઆઈએલ કરવામાં આવી છે. જેમાં અરજદાર રાજ શેખવાતે જણાવ્યું છે કે, 'આ ફિલ્મમાં રાણી પદ્માવતી અંગે ખોટું ચિત્રણ કરવામાં આવ્યું છે. અલ્લાઉદ્દીન ખીલજી અને પદ્માવતી વચ્ચે કોઈ સંબંધ હતો જ નહીં, આ બાબતનો ઉલ્લેખ જૈન ધર્મના 14મી અને 16મી સદીમાં લખાયેલા પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે આ ફિલ્મના કારણે પદ્માવતી અને રાજપૂત સ્ત્રીનું અપમાન પણ થયું છે. પદ્માવતી ખૂબ સન્માનીય હતા. જેથી આ ફિલ્મ રિલીઝ થાય તો વિવાદ વધુ વકરી શકે તેમ છે. જેથી આ ફિલ્મની રિલીઝ ગુજરાત તેમજ ભારતભરમાં અટકાવવામાં આવે.

ભાજપ નેતાઓએ પણ કરી હતી રજૂઆત
આ જાહેર હિતની અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના માહિતી પ્રસારણ વિભાગ, ફિલ્મ સેન્સર બોર્ડ, ભણસાલી ફિલ્મ અને વાઈકોમ 18ને પાર્ટી બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં હાઇકોર્ટ દ્વારા આ અંગે સુનવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપના નેતાઓ દ્વારા પણ ચૂંટણી પંચ સામે રજૂઆત કરવામા આવી હતી કે, ચૂંટણી દરમિયાન આ ફિલ્મ રજૂ થાય તો રાજ્યની શાંતિ પર અસર પડી શકે તેમ છે. જો કે, આ ફિલ્મની રિલીઝ પર હજુ સુધી અધિકૃત રીતે કોઇ રોક લગાવવામાં નથી આવી.
રાજપૂત સમાજની ચીમકી
આગામી દિવસોમાં ફિલ્મ પદ્માવતીના મુખ્ય અભિનેતાઓ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પ્રમોશન માટે આવવના છે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની આ અમદાવાદ મુલાકાત મામલે ગુજરાત રાજપૂત સમાજે સરકાર તથા આયોજકોને ચીમકી આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં આનો વિરોધ ચાલે છે અને આમ છતાં પ્રમોશન માટે તેઓ આવવાના હોય તો સરકારી અધિકારીઓ તેમને પરવાનગી આપતા પહેલાં વિચારે. જો કોઈ પણ જાતનું નુકશાન થાય તો અમારી જવાબદારી નથી. જો કંઇ તોફાન થયું તો એની જવાબદારી રાજપૂત સમાજ નહીં લે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
