ટ્રાફિક બ્રિગેડના જવાનોના પગારમાં 50 ટકાનો વધારો
ગુજરાતમાં ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોના દૈનિક માનદ વેતનમાં રાજ્ય સરકારે 50 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. હવે TRB જવાનોને દૈનિક 300 ના બદલે 450 ચૂકવવામાં આવશે, જે સીધો 150 નો વધારો છે. આ નિર્ણયનો અમલ આજથી જ શરૂ થઈ ગયો છે, જેનાથી રાજ્યભરના 10,000 થી વધુ TRB જવાનોને ફાયદો થશે.

અત્યાર સુધી TRB જવાનોને દૈનિક 300 ચૂકવવામાં આવતા હતા, જેમાં હવે સીધો 150 નો વધારો કરીને દૈનિક ₹450 નું માનદ વેતન મળશે. આ વધારો આજથી જ અમલી ગણાશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યની ટ્રાફિક વ્યવસ્થાપન સુદ્રઢ બનાવવામાં TRB જવાનોની ભૂમિકા કોઈ સૈનિકથી ઓછી નથી. કાળઝાળ ગરમી હોય કે ધોધમાર વરસાદ, આ જવાનો પ્રજાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અડીખમ ઉભા રહે છે. તેમના આ પરિશ્રમ અને સમર્પણની કદર કરીને રાજ્ય સરકારે આ આર્થિક પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી આ વ્યવસ્થા હાલ સમગ્ર ગુજરાતમાં પોલીસ દળને પૂરક બનીને મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વર્ષ 2018 ના ઠરાવ મુજબ જવાનોને દૈનિક ₹300 મળતા હતા, જે વર્તમાન મોંઘવારીના સમયમાં અપૂરતા ગણાતા હતા.












Click it and Unblock the Notifications
