હેપી બર્થ ડે અમદાવાદ
ઇન્ડિયાની પહેલી હેરીટેજ સીટીનો ઉજવાયો 607મો જન્મ દિવસ- ભારતમાં આધુનિકતા સાથે હેરીટેજ વારસો ધરાવતુ અનોખુ શહેર અમદાવાદ
ઇન્ડિયાની પહેલી હેરીટેજ સીટીનો ઉજવાયો 607મો જન્મ દિવસ- ભારતમાં આધુનિકતા સાથે હેરીટેજ વારસો ધરાવતુ અનોખુ શહેર અમદાવાદની સ્થાપના અહેમદશાહ બાદશાહે કરી ત્યારે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે અમદાવાદ શહેર તેના ભવ્ય સાસ્કૃતિક વારસાથી વિશ્વ વિખ્યાત બનશે અને એવુ તો બન્યુ જ અને આજે પણ આ વારસો એટલો જ તાજો લાગે છે.

અમદાવાદની સ્થાપના 607 વર્ષ પહેલા થઇ હતી અને તે ભદ્રનો કિલ્લો માણેક બ્રુજ સહિતની વિરાસતો તેની ભવ્યતા સાથે અડીખમ ઉભી છે. આજે અમદાવાદના જન્મદિવસની ઉજવણી અમદાવાદ શહેરના મેયર, ભાજપના અગ્રણી અને બોલીવુડ એક્ટર વિવેક એબોરોયની હાજરીમાં માણેક બ્રુજ ખાતે કરવામાં આવી હતી. કહેવાય છે કે સત માણેકજી દ્વારા બનાવવામાં આવેલો માણેક બ્રુજ અમદાવાદનો પ્રથમ સ્થાપત્ય ગણાય છે અને ત્યારબાદ ભદ્વનો કિલ્લો બનાવવામાં આવેલો હતો.
આ પ્રસંગે મેયર ગૌતમ શાહે જણાવ્યુ હતું કે અમદાવાદી તરીકે દરેક નાગરિક ગર્વ લે છે કારણ કે અમદાવાદમાં પોળોનો ભવ્ય વારસો આજે પણ એટલો અડીખમ છે તો પશ્રિમ અમદાવાદમાં આધુનિકતાનો વિકાસ થઇ રહ્યો છે. ખાસ કરીને વર્લ્ડ હેરીટેજ સીટી જાહેર થયા બાદ અમદાવાદનો જન્મ દિવસ પ્રથમ વાર આવી રહ્યો છે તે આપણા માટે ગર્વની બાબત છે અને આપણા પોતીકા અમદાવાદના જન્મદિવસની ઉજવણીમાં દરેક અમદાવાદી હિસ્સો બને તે જરૂરી છે.

જ્યારે વિશેષ મહેમાન બનેલા વિવેક એબોરોયે જણાવ્યું કે અમદાવાદની છાપ તેમના માટે એક અનોખી છે કારણ કે ભવ્ય વારસો સચવાયો છે. તેમણે અમદાવાદની પોળો જોઇ છે તો અત્યાધુનિક બિલ્ડીગો પણ જોઇ છે. અમદાવાદની સ્થાપનાની ઓળખ સમાન માણેક બ્રુજ જે 607 વર્ષ જુનો છે.તે તેની એક ઉમદા મિશાલ છે.
અમદાવાદના ભવ્ય વારસાની વાત કરીએ તો ભદ્વનો કિલ્લો, ભદ્રકાળી માતાનું મંદિર, રાણીનો હજીરો, ત્રણ દરવાજા. કાલુ પુર સ્વામી નારાયણ મંદિર, સીદી સૈયદની જાળી, એલિસબ્રીજ, ગણેશ મંદિર. સરખેજ રોઝા, ગાંધી આશ્રમ, દાંડી પુલ, કોચરબ આશ્રમ સહિતની અનેક જગ્યા છે જે અમદાવાદનું જ નહી પણ સમગ્ર ભારતનું ગર્વ છે. હેરીજેટ વોકની શરૂઆત કરનાર અમદાવાદ ભારતનું પ્રમથ શહેર છે.
અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ આજે વિદેશથી અમદાવાદમાં ફરવા માટે આવતા લોકોમાં પોળો સૌથી મહત્વના બની રહ્યા છે.કારણ કે તેનું બાંધકામ , પાણી સ્ટોરેજની યોજના જેવી બાબતો તેમને અંચબામાં મુકી દે છે. સાથોસાથ કાલુપુરમાં આવેસું સ્વામીનારાયણ મંદિર કે જેની સ્થાપના ખુદ ભગવાન સ્વામીનારાયણે કરી હતી અને એવુ કહેવાય છે કે આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમયે અંગ્રેજોએ 21 તોપોની સલામી આપી હતી.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ










Click it and Unblock the Notifications
