હાર્દિક પટેલને જેલમાં જવાનો હતો ડર, માટે છોડી દીધી પાર્ટીઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો મોટો આરોપ
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યાના એક દિવસ પછી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ જગદીશ ઠાકોરે નિશાન સાધ્યુ છે.
ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ. એવી અટકળો છે કે હાર્દિક પટેલ આવનારા દિવસોમાં પંજાબના નેતા સુનીલ જાખડની જેમ ભાજપમાં શામેલ થઈ શકે છે જે કોંગ્રેસ છોડીને ભગવા પાર્ટીમાં શામેલ થઈ ગયા. હાર્દિક પટેલ ભાજપ શામેલ થાય કે નહિ પરંતુ કોંગ્રેસમાં તેમના બહાર નીકળવાથી ગુજરાતમાં સત્તારુઢ પાર્ટીને મદદ મળવાની સંભાવના છે.
આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસે હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યાના એક દિવસ પછી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ જગદીશ ઠાકોરે ગુરુવારે દાવો કર્યો હતો કે તેમણે આ પગલું ભર્યું છે કારણ કે તેમને ડર હતો કે તેની સામે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં તે જેલમાં જશે. ઠાકોરે એવો પણ દાવો કર્યો હતો કે પટેલ સત્તારૂઢ ભાજપમાં જોડાઈ શકે છે. હાર્દિક પટેલે અહીં એક પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી તરત જ કોંગ્રેસના નેતાએ આ દાવા કર્યા હતા. પટેલે આક્ષેપ કર્યો હતો કે પાર્ટીના રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ હોવા છતાં તેમને કોઈ અર્થપૂર્ણ કામ આપવામાં આવતું નથી. પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પક્ષ પાસે કોઈ વિઝન નથી અને તેનું રાજ્ય એકમ જાતિ આધારિત રાજકારણમાં વ્યસ્ત છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ટોચના નેતાઓ તેમના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમના માટે ચિકન સેન્ડવિચની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયાના એક વર્ષ પછી જુલાઈ 2020માં તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અહીંથી લગભગ 220 કિમી દૂર રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતાં ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે પટેલે અગાઉની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે પણ કહ્યું હતું અને તેમના રાજીનામા પત્રમાં જે કંઈ લખ્યું હતું તે સત્તાધારી ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.