આ રહી ભુપેન્દ્ર પટેલને સીએમ પદ મળવા પાછળની પુરી કહાની!
ભાજપ નેતૃત્વે ફરી એક વખત ચૌકાવનારો નિર્ણય લઈ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે ત્યારે ભાજપે ચૂંટણી પહેલા રાજ્યના પટીદાર સમાજને સાધવાની કોશિષના ભાગરૂપે પટેલને ખુરશી અપાઈ છે.જો કે પટેલ રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓ કરતા ઓછા લોકપ્રિય રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળનું એક કારણ ભાજપ રાજ્યના મોટા પટેલ નેતાઓ વચ્ચે વર્ચસ્વનું જૂથવાદ હોવાનું પણ માનવામાં આવે છે. આ સિવાય તેઓ પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નજીકના નેતા પણ છે.

ગુજરાતમાં ભાજપે સતત બે દિવસ સુધી ચોંકાવનારા નિર્ણયો લીધા. શનિવારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને રવિવારે ભૂપેન્દ્ર પટેલ નવા નેતા તરીકે ચૂંટાયા. ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કેટલીક મહત્વની જવાબદારીઓ નિભાવતા રહ્યા છે, પરંતુ સત્તાના કોરિડોરમાં ન તો વધારે ચર્ચા થઈ છે અને ન તો પાર્ટીના મોટા નેતાઓમાંના એક રહ્યા છે. આનંદીબહેન પટેલ રાજ્યપાલ બન્યા બાદ તે બેનની બેઠક પરથી ધારાસભ્ય પણ બન્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપનું નેતૃત્વ પાટીદાર સમાજના મોટા નેતાઓ વચ્ચે સર્વોપરિતાની લડાઈમાંથી બહાર નીકળવા અને રાજ્યમાં સામાજિક સમીકરણો સુધારીને ચૂંટણીમાં પ્રવેશવા ઈચ્છતું હતું. આ સ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સૌરભ પટેલ અને જીતુ વાઘાણી જેવા નેતાઓના બદલે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલને પણ આ સમાચાર છેલ્લી ક્ષણોમાં જ મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પણ વિદાયમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની પસંદ હતા. જ્યારે ભાજપના નેતૃત્વએ ભૂપેન્દ્ર પટેલનું નામ રૂપાણી સમક્ષ મૂક્યું ત્યારે તેઓ પણ સંમત થયા.
ભૂપેન્દ્ર પટેલ પક્ષ અને સંગઠનમાં ખૂબ અનુભવી રહ્યા છે અને સંઘ સાથે પણ જોડાયેલા રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નજીકના અને વિશ્વાસુ હોવાને કારણે તેમને શાસનમાં વધુ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. એક નવો ચહેરો હોવાથી પાટીદાર સમાજમાં પણ તેમની સારી છબી છે. ગુજરાતની જનતા પણ તેમની પાસેથી મોટી આશાઓ રાખશે, જેથી તેમને ભાજપના નેતૃત્વ અંગે કોઈ નકારાત્મક છબીનો સામનો નહીં કરવો પડે. ખાસ કરીને જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન વર્તમાન ભાજપ સરકાર વિશે લોકોમાં સારી છાપ નથી ત્યારે આ એક નવો ચહેરો ફાયદાકારક બની શકે છે. ભૂપેન્દ્ર પટેલ કડવા પટેલ છે અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ્યાં છેલ્લી વખત ભાજપનો લગભગ સફાયો થયો હતો ત્યારે હવે હવે પાર્ટીને લાભ મળી શકે છે.












Click it and Unblock the Notifications
