ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા સાધુઓને ટિકિટ, જાણો કેટલા સાધુ ચૂંટણી લડી રહ્યાં છે?
હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. તમામ ઉમેદવારો જીતવા માટે પ્રચારમાં લાગ્યા છે. યુપી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ સાધુઓને ટિકિટ અપાઈ છે.
હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. તમામ ઉમેદવારો જીતવા માટે પ્રચારમાં લાગ્યા છે. યુપી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ સાધુઓને ટિકિટ અપાઈ છે. યુપી પહેલા પણ દેશના વિવિધ ભાગમાં સાધુઓનું રાજનીતિ સાથે જોડાણ સામે આવતું રહ્યું છે. હવે ગુજરાત વિધાનસભામાં પણ કેટલાક સાધુઓ મેદાનમાં ઉતર્યા છે.
બીજેપીને પ્રો હિન્દુ પાર્ટી માનવામાં આવે છે ત્યારે બીજેપીએ ગુજરાતમાં બે સાધુઓને ટિકિટ આપી છે. સૌથી મોટી વાત એ છે કે બીજેપીએ ગઈ વખતે હારેલી સીટો પર સાધુઓને ટિકિટ આપી છે.
બીજેપી તરફથી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોની વાત કરીએ તો, શંભુપ્રસાદ ટુંડિયાને બીજેપીએ ગઢડા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામમાં સંત સવ્યનાથ સમાધિ સ્થાનના મહંત છે. શંભુપ્રસાદ ટુંડિયા 2007 થી 2012 સુધી ભાજપની ટિકિટ પર દાસદા વિધાનસભા મતવિસ્તારથી સારાસભ્ય પણ રહ્યા છે.આ પછી શંભુપ્રસાદ ટુંડિયા 2014 થી 2020 સુધી ભાજપના રાજ્યસભા સાંસદ રહ્યા છે.
આ સિવાય બીજેપીએ ભરૂચ જિલ્લાની જંબુસર બેઠક પરથી પણ એક સાધુને મેદાનમાં ઉતાર્યા છે. ડીકે સ્વામી તરીકે જાણીતા દેવ કિશોરદાસજી સ્વામી ભરૂચ જિલ્લાના આમોદના નાહિર સ્વામિનારાયણ ગુરુકુળમાં રહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આ બેઠક પરથી તેમની પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.