ભાવનગર, 1 ઑક્ટોબર : ભાવનગરના વલ્લભીપુર પહોંચેલી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાના ચાલુ રાખ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી રાજ્યની તિજોરી પર પંજો નહીં પડવા દઉં.
કોંગ્રેસે જે ખાડા ખોદ્યા છે તે પુરવાનું કામ મેં કર્યું છે. મારા 10 વર્ષ ખાડા પૂરવામાં ગયા. મારી જગ્યાએ કોઇ કાચો પોચો હોત તો આ કામ કરી શક્યા ના હોત. હજી આ ખાડા પૂરાતા બીજા બે ત્રણ વર્ષ લાગશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના મંત્રીઓ દ્વારા આચરવામાં આવેલા કોલસા કૌભાંડ, એફડીઆઇ, ડીઝાલમાં ભાવવધારા જેવા મુદ્દાઓ પર ટીકા કરી હતી.