મોદીનું સત્ય બહાર આવશે જ, હિમ્મત નહીં હારુ: ઝાકિયા
અમદાવાદ, 27 ડિસેમ્બર: અમદાવાદની કોર્ટ દ્વારા નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવાના નિર્ણય પર ઝાકિયા જાફરીએ જણાવ્યું છે કે તે હાર નહીં માને અને એક દિવસે નરેન્દ્ર મોદીની વાસ્તવિકતા સૌની સામે આવી જશે.
મોદીને મોટી રાહત આપતા અમદાવાદની મેટ્રોપોલિટિન કોર્ટે એસઆઇટીના એ રિપોર્ટને યોગ્ય ગણાવ્યો છે જેમાં 2002ના ગુજરાત રમખાણોના મામલામાં મોદીને ક્લીન ચિટ મળી હતી. ઝાકીયા જાફરીએ એસઆઇટીના આ રિપોર્ટ પર વાંધા અરજી કરી હતી જેના પર ગઇ કાલે મહત્વનો ચૂકાદો આવ્યો હતો.
ઝાકિયાએ શું કહ્યું..
કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ ઝાકિયાએ મીડિયાને જણાવ્યું કે 'આજે તો જજ સાહેબે નિર્ણય સુણાવ્યો, મે સાંભળી લીધો. હું હિમ્મત હારવાની નથી. કેસને આગળ લઇ જઇશ. હાઇ કોર્ટમાં જઇશ. આજે મને જે પરિણામ મળ્યું છે, તેનાથી આપ સમજી જ શકો છો કે કેટલો ન્યાય થયો. અત્યારે નહીં તો પછી ક્યારેક, વાસ્તવિકતા સામે આવીને જ રહેશે. જે પુરાવા અમે કોર્ટની સામે મૂક્યા, તે ભલે કોર્ટને મહત્વપૂર્ણ ના લાગ્યા હોય. પરંતુ આશા છે કે મોટી કોર્ટમાં તેની પર ધ્યાન આપવામાં આવશે. '
વકીલે શું કહ્યું...
અમને નથી ખબર કે મિસ્ટર શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટે જે પુરાવા એકત્રિત કર્યા હતા, તેને કોર્ટે માન્યા પણ છે કે નહી. હજી અમે વિસ્તારથી કોર્ટનો નિર્ણય વાંચ્યો નથી. પરંતુ અમને લાગે છે કે જે રીતે પુરાવા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે નરેન્દ્ર મોદીને ગુનેગાર ઠેરવવા માટે પૂરતા હતા. આ વિશ્વાસની સાથે અમે હાઇકોર્ટમાં જઇશું. નરેન્દ્ર મોદી 20-25 દિવસ શાંતિથી રહી શકે છે. ત્યાં સુધી અમે આ કેસને ફાલ કરી દઇશું અને છેલ્લે સુધી લડાઇ ચાલુ રાખીશું.
નરેન્દ્ર મોદીએ શું કહ્યું..
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાની પ્રતિક્રિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આપી હતી. અમદાવાદની કોર્ટના ચૂકાદા બાદ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું છે કે, સત્ય મેવ જયતે,સત્યનો વિજય થયો છે. સત્યનો સ્વાભાવ સાફ હોય છે. અજ્ઞાનતાના જેટલા જાળા દૂર કરશો તેટલો સત્યનો માર્ગ સ્પષ્ટ દેખાશે-મહત્મા ગાંધી.
અરુણ જેટલીએ શું કહ્યું...
અરૂણ જેટલીએ જણાવ્યું કે 'ગત 11 વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી અને તેના મિત્ર એનજીઓના દુષ્પ્રચારથી નરેન્દ્ર મોદી અપ્રભાવિત રહ્યાં અને આ દરમિયાન 2002, 2007 અને 20012ની રાજ્યની ચૂંટણીમાં જોરદાર જીત પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યું હતું કે રાજકીય અને વહિવટી કુશળતા સાબિત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ આજે ન્યાયપાલિકા પાસેથી પણ પાક કરાર ગણાવવાની પુષ્ટિ કરી છે. 'આ ભાજપ અને નરેન્દ્ર મોદીની નૈતિક જીત છે.'

ઝાકિયા જાફરી
કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ ઝાકિયાએ મીડિયાને જણાવ્યું કે 'આજે તો જજ સાહેબે નિર્ણય સુણાવ્યો, મે સાંભળી લીધો. હું હિમ્મત હારવાની નથી. કેસને આગળ લઇ જઇશ. હાઇ કોર્ટમાં જઇશ. આજે મને જે પરિણામ મળ્યું છે, તેનાથી આપ સમજી જ શકો છો કે કેટલો ન્યાય થયો. અત્યારે નહીં તો પછી ક્યારેક, વાસ્તવિકતા સામે આવીને જ રહેશે. જે પુરાવા અમે કોર્ટની સામે મૂક્યા, તે ભલે કોર્ટને મહત્વપૂર્ણ ના લાગ્યા હોય. પરંતુ આશા છે કે મોટી કોર્ટમાં તેની પર ધ્યાન આપવામાં આવશે.'

ઝાકિયા જાફરીના વકિલ
અમને નથી ખબર કે મિસ્ટર શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટે જે પુરાવા એકત્રિત કર્યા હતા, તેને કોર્ટે માન્યા પણ છે કે નહી. હજી અમે વિસ્તારથી કોર્ટનો નિર્ણય વાંચ્યો નથી. પરંતુ અમને લાગે છે કે જે રીતે પુરાવા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે નરેન્દ્ર મોદીને ગુનેગાર ઠેરવવા માટે પૂરતા હતા. આ વિશ્વાસની સાથે અમે હાઇકોર્ટમાં જઇશું. નરેન્દ્ર મોદી 20-25 દિવસ શાંતિથી રહી શકે છે. ત્યાં સુધી અમે આ કેસને ફાલ કરી દઇશું અને છેલ્લે સુધી લડાઇ ચાલુ રાખીશું.

નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાની પ્રતિક્રિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આપી હતી. અમદાવાદની કોર્ટના ચૂકાદા બાદ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું છે કે, સત્ય મેવ જયતે,સત્યનો વિજય થયો છે. સત્યનો સ્વાભાવ સાફ હોય છે. અજ્ઞાનતાના જેટલા જાળા દૂર કરશો તેટલો સત્યનો માર્ગ સ્પષ્ટ દેખાશે-મહત્મા ગાંધી.

અરુણ જેટલી
અરૂણ જેટલીએ જણાવ્યું કે 'ગત 11 વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી અને તેના મિત્ર એનજીઓના દુષ્પ્રચારથી નરેન્દ્ર મોદી અપ્રભાવિત રહ્યાં અને આ દરમિયાન 2002, 2007 અને 20012ની રાજ્યની ચૂંટણીમાં જોરદાર જીત પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યું હતું કે રાજકીય અને વહિવટી કુશળતા સાબિત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ આજે ન્યાયપાલિકા પાસેથી પણ પાક કરાર ગણાવવાની પુષ્ટિ કરી છે. 'આ ભાજપ અને નરેન્દ્ર મોદીની નૈતિક જીત છે.'
-
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી








Click it and Unblock the Notifications
