અમદાવાદમાં ડિમોલિશન: પત્થરમારો, 200 જવાનો ખડેપગે
અમદાવાદ, 28 માર્ચ: અમદાવાદમાં આજે બપોરે જેના કારણે સમગ્ર રાજ્યનું ધ્યાન તેની તરફ આકર્ષિત થયું છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એએમસીએ લોકોના આશિયાનાને જમીન દોસ્ત કરવા માટે અત્રે બુલડોજર, ક્રેન અને પોલીસોના કાફલા સાથે આવીને ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
કોર્પોરેશનની આ કામગીરીના પગલે રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો, અને તેમની પર પત્થરમારો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મહિલાઓ પણ પોલીસી સામે લડવા માટે ઉતારુ થઇ ગઇ હતી જેમને રોકવા માટે ખાસ મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી.

આ ઘટનાથી રોષે ભરાયેલા કેટલાંક ઇસમોએ ત્રણ એએમટીએસ બસ અને એક એમ્બ્યુલંસના કાચ તોડી નાખ્યા હતા. અત્યાર સુધી આ ઘટનામાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે જુહાપુરના આ વિસ્તારમાં સ્થિતિ એટલી તંગ બનેલી છે કે જેને કાબુમાં લેવા માટે અત્રે 200થી પણ વધારે પોલીસ જવાનોને ખડેપગે કરી દેવામાં આવ્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
