મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
અમદાવાદ, 14 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ગામના બાળકોને એક એક ઘરેથી લઇને સરકારી વિદ્યાલય પહોંચાડીને શાળા પ્રવેશોત્સવ તથા કન્યા શિક્ષણ અભિયાનનો ગુરુવારે ગાંધીનગરના લિહોડા ગામથી પ્રારંભ કર્યો. મોદી, મંત્રિમંડળના સભ્યો, બધા વિભાગોના અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારી ત્રણ દિવસ રાજ્યના ગામડાઓમાં ફરીને ફરીને અભિયાન ચલાવશે.
ગુજરાત સરકાર તરફથી સતત 11 વર્ષથી મનાવવામાં આવી રહેલ આ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા શિક્ષા અભિયાન દરમિયાન ત્રણ દિવસ 13થી 15 જૂનના રોજ 18 હજાર ગામડાઓ તથા 20થી 22 જૂનના રોજ શહેરોમાં બાળકોને શાળામાં દાખલ કરાવવા અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનથી મુખ્યમંત્રી, મંત્રિમંડળના સભ્યો, બધા વિભાગોના આઇએએસ તથા અન્ય અધિકારીઓ તથા શિક્ષણ વિભાગ મળીને બાળકોને શાળાઓમાં ભરતી કરાવે છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરના દહેગામ તાલુકાના લિહોડા, મુવાડા તથા નાંદોજ ગામમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. શુક્રવારે મોદી આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના દેવાવાંટા, બાંટવા તથા મેઘલપુરમાં બાળકોને શાળામાં લઇ જઇને પ્રવેશોત્વવ મનાવશે.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે ગુજરાતને નિરક્ષરતા, કુપોષણ, બીમારી, તથા ગરીબીથી મુક્તિ અપાવવા એક લક્ષ્ય છે જેના માટે તેઓ આ અભિયાન ચલાવી રહ્યા છે. આ દરમિયાન મોદી શાળા જનારા બાળકોને ચોકલેટ, ટોફી, સ્કૂલ બેગ, સ્લેટ, પેન્સિલ વગેરેની કિટનું વિતરણ કરે છે સાથે સાથે શાળામાં પ્રવેશ કરનાર બાળકીઓને તેઓ વિદ્યા શિક્ષણ બોન્ડ પણ આપે છે.
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ
મોદીએ કર્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ અભિયાનનો પ્રારંભ