Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજભવન પરિસરમાં મહર્ષિ દયાનંદ સભામંડપનું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજભવન પરિસરમાં મહર્ષિ દયાનંદ સભામંડપનું લોકાર્પણ કર્યું હતું. રાષ્ટ્રના ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની સાંજે રાજભવનમાં આયોજિત 'એટ હૉમ'-સ્નેહમિલન સમારોહના આરંભે બંને મહાનુભાવોએ તકતીનું અનાવરણ કરીને મહર્ષિ દયાનંદ સભામંડપનું લોકાર્પણ કર્યું હતું.

bhupendra patel

આ પૂર્વે આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર મતી દર્શના દેવીજીએ મહર્ષિ દયાનંદ સભામંડપમાં હવન કર્યો હતો. પવિત્ર હવનની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંગલ કામના કરતાં કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સભામંડપ સદૈવ રાષ્ટ્ર નિર્માણ માટે, લોક કલ્યાણ માટે અને માનવતાના હિત માટે ઉપયોગમાં આવતો રહે. આ સભામંડપ રાજભવન માટે સદાય સુખદાયી અને ગુજરાત પ્રદેશ માટે કલ્યાણકારી બની રહે આવી શુભકામનાઓ સાથે તેમણે પવિત્ર હવન સંપન્ન કર્યો હતો.

ગુજરાતના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ધર્મ, શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રભરમાં મહર્ષિ દયાનંદજીની ૨૦૦ મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના મહાન સપૂત મહર્ષિ દયાનંદજીના સન્માનમાં આ સભામંડપનું નામ 'મહર્ષિ દયાનંદ સભામંડપ' રાખવામાં આવ્યું છે.

મહર્ષિદ દયાનંદ સભામંડપના લોકાર્પણ પ્રસંગે લેડી ગવર્નર મતી દર્શના દેવીજી અને મતી હેતલબેન ભુપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય સચિવ રાજકુમાર પણ સાથે જોડાયા હતા. રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X