Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વાવાઝોડા વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની, યાત્રીઓનો બચાવ

એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા પર વાવાઝોડા બિપરજોયની દસ્તક થઈ રહી છે તો બીજી તરફ વાવાઝોડા વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની છે. સારા સમાચાર એ છે કે યાત્રીઓનો બચાવ થયો છે.

સામે આવી રહેલા સમાચારો અનુસાર, વાવાઝોડા વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અચાનક ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી.ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

Indigo flight

ઘટનાને લઈને ઈન્ડિગોએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ફ્લાઈટ બેંગ્લોરથી અમદાવાદ આવી રહી હતી. આ દરમિયાન ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની. ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, 11 જૂને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટના લેન્ડિંગ દરમિયાન પાછળનો ભાગ જમીન સાથે અથડાયો હતો. સારી વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહોતા.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કોઈપણ ફ્લાઇટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર ત્યારે બને જ્યારે ટેક-ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટનો પાછળનો ભાગ જમીન અથવા અન્ય કોઈ સ્થિર પદાર્થ સાથે અથડાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X