ભરૂચ જંબુસર-આમોદના કોંગ્રેસ ધારાસભ્ય ભરતસિંહ સોલંકી સાથે વિકાસ-રકાસ અંગે ખાસ વાતચીત
વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જંબુસર - આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સિંહ સોલંકી જોડાયા હતા.
ભરૂચઃ વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જંબુસર - આમોદ મત વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય સંજય સિંહ સોલંકી જોડાયા હતા. વન ઈન્ડિયા પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ વિવિધ પ્રશ્નોના જવાબ આપી તેમણે પોતાના અઢી વર્ષ દરમિયાન ધારાસભ્યની મુદતમાં જે વિકાસના કાર્યો થયા છે તેમજ બાકીના કાર્યકાળ દરમિયાન જે કાર્યો કરવાના છે તે અંગે વન ઈન્ડિયાના પત્રકાર સાથે વાતચીત કરી. વાંચો અહીં તે સમગ્ર વાતચીત.

પ્રશ્નઃ અઢી વર્ષના શાસનકાળ દરમિયાન તમારા મત વિસ્તારમાં વિકાસના કયા કયા કામો થયા છે?
જવાબઃ વિશ્વ અને દેશ અત્યારે જ્યારે કોરોનાની સ્થિતિમાં હોય ત્યારે જંબુસર તાલુકાની અંદર પ્રથમ તો અમે જે લોકોને ખૂબ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને વડોદરા કે ભરૂચ જવુ પડતુ હતુ તેના બદલે આમોદમાં જ મેડિકલ હોસ્પિટલ ખોલાવીને જંબુસર અને આમોદના લોકોને આ સેવાનો લાભ અપાવેલ છે. આનાથી ગરીબ લોકોના ખર્ચા ઘટ્યા છે. આ ઉપરાંત જંબુસર-આમોદ તાલુકામાં મુખ્ય પ્રશ્ન ખેડૂતોનો હોઈ પાક ઉત્પાદન થયા પછી જેમને ટેકાના ભાવ મળતા ન હોય, સરકારની અંદર અમે રજૂઆત કરીને એપીએમસી દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ અપાવેલા છે. કપાસમાં પણ ખેડૂતોને લાભ મળેલો છે. આ વર્ષે જંબુસર-આમોદ તાલુકાને અતિવૃષ્ટિ અસરમાં સરકારને વિનંતી કરીને લીધેલો છે. અતિવૃષ્ટિ થવાથી 30થી 60 ટકા નુકશાન થયેલુ છે. 33 ટકા લાભો સરકારે મંજૂર કરેલા છે.
પ્રશ્નઃ તમે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોઈ શાસક પક્ષ દ્વારા વિકાસના કાર્યોમાં કોઈ અવરોધો સર્જાયા છે ખરા?
જવાબઃ ગુજરાત સરકારની અંદર આ પરિસ્થિતિ ઉભી થવાની. 100 ટકા કામો ન થયા હોય પરંતુ જંબુસર-આમોદ તાલુકામાં અમે જેટલા પણ કામોની મંજૂરી માંગેલી છે તેમાંથી 90 ટકા કામો જેવા કે હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલની મંજૂરી આપેલી છે, પીવાના પાણીના પ્રશ્નો મુદ્દે 64 ટકા રકમ મંજૂર કરી છે જેથી આવનારા દિવસોમાં લોકોને પાણી મુદ્દે રાહત રહેશે. અન્ય ગામોને જોડતા રસ્તાઓ પણ મંજૂર થયેલા છે. મીઠા પાણીનો પ્રશ્ન પણ હલ કરીને ટૂંક સમયમાં ચાલુ થશે. કેટલીક યોજનાઓ સરકારે ધ્યાને લઈને મંજૂર કરેલી છે.
પ્રશ્નઃ જંબુસરના અમુક વિસ્તારોમાં ગંદકી મુદ્દે તમારા તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે?
જવાબઃ જંબુસરમાં કેટલાક વિસ્તારોમાં વર્ષો જૂની ગટર ઉભરાતી હોય ત્યારે સત્તાધારી નગરપાલિકાના ધ્યાન પર લાવવામાં આવ્યુ છે. પરંતુ આ મુદ્દે નગરપાલિકા સદંતર નિષ્ફળ છે એવુ મારુ માનવુ છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન










Click it and Unblock the Notifications
