પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી, જૂન 2019માં થઈ હતી આજીવન કેદ
વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટની એક અરજીને ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી લીધી છે.
અમદાવાદઃ વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટની એક અરજીને ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ તરફથી દાખલ કરાયેલ ઉક્ત અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે મારા પતિ એનડીપીએસ એક્ટ હેઠળ કસ્ટડીમાં યાતનાના એક કેસમાં જેલમાં બંધ છે. કૃપા કરીને કેસની સુનાવણી સંબંધી અરજીનો અદાલતમાં સ્વીકાર કરવામાં આવે.
મારપીટ તેમજ તેને નકલી કેસમાં ફસાવવાના આરોપ
તમને જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ આઈપીએસ ઑફિસર હતા જેમનો ભાજપ સરકાર સાથે 36નો આંકડો રહ્યો છે. ભટ્ટની નરેન્દ્ર મોદી સાથે બનતી નહોતી. સરકાર વિરુદ્ધ અવાજ બુલંદ કરનાર ભટ્ટની મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે તેમના પર કસ્ટડીમાં લીધેલ એક વકીલ સાથે મારપીટ તેમજ તેને નકલી કેસમાં ફસાવવાના આરોપ લાગ્યા. આ કેસમાં ભટ્ટની સપ્ટેમ્બર 2018માં ધરપકડ કરવામાં આવી.
સંજીવ ભટ્ટ પાલનપુરની જેલમાં બંધ
આ વકીલ પાલી(રાજસ્થાન)નો રહેવાસી હતો. ભટ્ટ સાથે તેનો વિવાદ વર્ષ 1998નો છે. વકીલનો આરોપ હતો કે ભટ્ટે તેની સામે માદક દ્રવ્ય સંબંધિ અધિનિયમ હેઠળ એક ખોટો કેસ બનાવીને પોલિસ કસ્ટડીમાં યાતના આપી. હાલમાં સંજીવ ભટ્ટ પાલનપુરની જેલમાં બંધ છે. આ ઉપરાંત ભટ્ટને એક અન્ય કેસમાં જૂન 2019માં આજીવન કેદની સજા પણ સંભળાવવામાં આવી ચૂકી છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યુ
હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સંજીવ ભટ્ટની પત્ની તરફથી દાખલ અરજી વિશે કહેવામાં આવ્યુ છે કે ભટ્ટના કેસની સુનાવણી હાઈકોર્ટમાં નહિ પરંતુ નિયમિત અદાલતમાં જ કરવામાં આવે.
કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષ એકજૂટ, 25 સપ્ટેમ્બરે બંધનુ એલાન