ગુજરાત ચૂંટણી પ્રચાર: સોનિયા ગાંધીને નરેન્દ્ર મોદીથી ડર લાગે છે?
ગુરૂવારે મોદીએ એક રેલીને સંબોધતા કહ્યું હતું કે સોનિયા ગાંધીના ભાષણમાં કંઇ ન હતું. એમાં કંઇ ખાસ વાત ન હતી. મીડીયાને તેમના ભાષણમાં કંઇ નથી છાપવા જેવું લાગ્યું જ નહી એટલે મીડિયાએ સોનિયા ગાંધીના મોટા મોટા ફોટા છાપી દિધા. મોદીએ કહ્યું કહ્યું હતું કે કોંગ્રેસ ભયભીત છે અને તે ગુજરાતમાં એક સંભાળીને બોલે છે.
તેને ડર લાગે છે કે તેમના મોંઢામાંથી કોઇ ખોટી વાત નીકળી જાય તો પ્રજા તેની વિરોધમાં જતી રહશે, જેના પાર્ટીનો સફાયો થઇ જશે. સોનિયા ગાંધીએ બુધવારથી ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી અભિયાનની શરૂઆત કરતાં રાજકોટમાં રેલી યોજી હતી. આ રેલીમાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસે દગો કર્યો હોવાનો નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું હતું કે કોંગ્રેસે 2009ની ચૂંટણી પહેલાં વાયદો કર્યો હતો કે તે સત્તામાં આવ્યા બાદ 100 દિવસમાં મોંધવારી દૂર કરશે. નરેન્દ્ર મોદીએ હાજર લોકોને પૂછ્યું હતું કે શું કોંગ્રેસે તેને વાયદો પૂરો કર્યો છે? તો આ દગો નથી તો શું છે તેમના પ્રશ્નના જવાબમાં પ્રજાએ હાકારો પૂરાવ્યો હતો.
મોદીએ દાવો કર્યો છે કે આ વખતે પણ ગુજરાતમાં 2007ના જેવી ચૂંટણીઓ યોજાશે. તેમને કહ્યું હતું કે 2007માં સોનિયા ગાંધીએ છોટા ઉદેપુરથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી અને કોંગ્રેસને છોટા ઉદેપુરમાં જ હાર મળી હતી. આ વખતે સોનિયા ગાંધીએ રાજકોટ સીટ પરથી ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું છે અને કોંગ્રેસ રાજકોટ સીટ પણ ગુમાવી દેશે.