For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત જહાં કેસ : પી પી પાંડેને CBI કસ્ટડીમાં મોકલાયા

|
Google Oneindia Gujarati News

p-p-pandey
અમદાવાદ, 17 ઓગસ્ટ : આજે અમદાવાદની વિશેષ કોર્ટે ઇશરત જહાં કેસમાં આરોપી એવા આઇપીએસ અધિકારી પી પી પાંડેને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે. જેના કારણે તેમને સીબીઆઇની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

સીબીઆઈએ સમગ્ર કેસની તપાસ માટે પાંડેના 14 દિવસના રિમાન્ડ માટેની માગ કરી હતી. જેની સામે જજ એચ એસ ખુતવાડે માત્ર ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે શહેરના એડિશનલ ડીજીપીએ તેમની હાજરીમાં સીબીઆઈ દ્વારા પૂછપરછની અરજી પણ સ્વીકારી હતી.

પી પી પાંડેની સીબીઆઈ કસ્ટડીને પગલે હવે આ કેસમાં નવા વળાંકો આવશે તેવું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ કોર્ટે પાંડેને ભાગેડુ જાહેર કર્યા હતા. ત્યાર બાદ હાજર થવાનું સમન્સ મોકલી આપ્યું હતું. હાજર થવાના દિવસે પાંડેએ પોતાના કથળેવા સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરી હોસ્પિટલમાં દાખલ થયા હતા. આમ તેઓ છેલ્લા કેટલાક દિવસથી રિમાન્ડ ટળી જાય એવા પ્રયાસો કરી રહ્યા હતા.

English summary
Ishrat Jahan case: P P Pandey sent to CBI custody
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X