ઇશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસમાં IB અને CBI સામ-સામે

isharat jahan
અમદાવાદ, 14 જૂન : ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આજે સીબીઆઇ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. સીબીઆઇએ આ મામલામાં કેટલાંક મોટા અધિકારીઓની ધરપકડ કરવાની તૈયારી કરી લીધી છે. જ્યારે પહેલાથી જ ધરપકડ કરવામાં આવેલા અધિકારીઓ જેમને સમયસર ચાર્જશીટ દાખલ નહીં કરી શકવા બદલ જેમને જામીન મળી ગયા હતા તેમના પર પણ પોતાનો પક્ષ રજૂ કરશે.

આ મામલામાં કેટલાંક રાજનૈતિક હસ્તિઓના નામનો પણ ખુલાસો થઇ શકે છે. છેલ્લા એક મહીનામાં સીબીઆઇએ આ કેસ અંગે ઘણા અધિકારીઓની પૂછપરછ કરી છે. આ મામલામાં સીબીઆઇએ ગુપ્ત એજન્સી આઇબીના સ્પેશિયલ ડાયરેક્ટર રાજીન્દર કુમારની ભૂમિકાને શંકાસ્પદ માનીને તેમની પૂછપરછ કરી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સીબીઆઇની પાસે કેટલીક કોલ ડિટેલ્સ છે જેનાથી સ્પષ્ટ થાય છે કે રાજીન્દર કુમાર એન્કાઉન્ટર દરમિયાન આરોપી અધિકારીઓના સંપર્કમાં હતા.

રાજીન્દર કુમાર પર 10 જૂનથી 15 જૂન સુધી આરોપી અધિકારી વણજારા સાથે 37 વખત વાતચીતના આરોપ છે. સીબીઆઇને રાજીન્દર કુમારની ધરપકડની મંજૂરી બાદ આઈબી અને સીબીઆઇ સામ-સામે આવી ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X